SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીકપુરપ્રકરસ્પષ્ટાથદિ: ૪૪૩. કયવંશના રાજા (કુમારપાળ રાજા)ની જેમ વ્યસનનો ત્યાગ. કરવામાં તમે કેમ પ્રયત્ન કરતાં નથી. જાણવા છતાં ઉંડા કુવામાં પડે નહિ તથા દષ્ટિવિષ સર્ષના માર્ગ તરફ જાઓ નહિ. ૧૦૪ સ્પષ્ટાઈ–કવિરાજ સાત વ્યસનેમાંથી આ લોકમાં ક્યા વ્યસનને સેવવોથી કયું ફળ મળે તે જણાવે છે – ૧. જુગાર રમવાના વ્યસનથી દારિદ્રય એટલે ગરીબાઈ અથવા નિર્ધમપણાની પ્રાપ્તિ થાય છે. ૨. બીજું માંસ ખાવાનું વ્યસન, તેનાથી દયાની લાગણી નાશ પામે છે. કારણ કે જેની દીલમાં દયાની ભાવના રહેલી છે તે માંસ ખાય જ નહિ, અર્થાત જેના દિલમાંથી દયાને નાશ થાય તેજે માંસ ખાય. 3. ત્રીજું દારૂ પીવાનું વ્યસન એટલે દારૂ પીવે, તેનાથી. અનેક પ્રકારની વિટંબનાઓ પ્રાપ્ત થાય છે, કારણકે દારૂડીયા માણસને દેરૂ પીએ ત્યારે હિતાહિતનું કાંઈ ભાન રહેતું નથી, વળી પૈસે ટકે ખુવાર થઈ જાય છે તેથી તેને ઘણું વિટંબનાઓ પડે છે. ૪. ચોથું વ્યસને વેશ્યા અથવા ગુણિકા તેની સબંત કરવાથી પવિત્રતાને નાશ થાય છે. કેમ તેની નિંદા થાય છે અને તેના કુલને કલંક લાગે છે. ૫. પાંચમું વ્યસન શિકાર છે. જેને શિકારનું વ્યસન પડે છે. તેના જીવનને અચાનક બહુજ ધક્કો પહેંચે છે એટલે શિકારી પ્રાણીઓ તેના ઉપર ત્રાપ મારે, ત્યારે તેના જીવનને પણ નાશ થાય છે. ૬. છઠું વ્યસન ચોરી છે. તેનાથી વ્યાકુલતા રૂપી ફળ મળે છે, કારણ કે ચેરી કરનારના મનમાં હમેશાં ભય રહ્યા કરે છે કે મારી ચોરી પકડાઈ જશે તે શું થશે? વ્યાકુલતા કરે છે કે મારી સારી કરનારના
SR No.022033
Book TitleKarpurprakar Ane Kadambgiri Bruhatkalp
Original Sutra AuthorN/A
AuthorVijaypadmasuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy