SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪. ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩ निर्देश इति सम्प्रदायः, न चायं पर्यनुयोज्यो विचित्रत्वात्सूत्रगतेरिति भावनीयम् । शीतस्पर्शादीन्यपि चैकगुणशीतस्पर्शादीनि यावदनन्तगुणशीतस्पर्शादीन्यपीति द्रष्टव्यम्, आलापकश्चात्र विषये प्रज्ञापनायामनुसन्धयः ।।३।। ટીકાર્ય : ગઇ ..... વવસ્થાનસમવત્ ! હવે જે સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે છે વચનપ્રયોગ કરનાર જીવ સ્થિત એવા ભાષાવર્ગણાતા પુદ્ગલોને બોલવા અર્થે ગ્રહણ કરે છે. તે=બોલવા અર્થે ગ્રહણ કરાયેલા ભાષાપુદ્ગલો, દ્રવ્યથી શું એકપ્રદેશવાળા છે ? યાવત્ અનંતપ્રદેશવાળા છે ? ક્ષેત્રથી એકપ્રદેશ અવગાઢવાળા છે ? યાવત્ અસંખ્યપ્રદેશના અવગાઢવાળા છે ? કાળથી એકસમયની સ્થિતિવાળા છે? યાવત્ અસંખ્યસમયની સ્થિતિવાળા છે ? અને ભાવથી વર્ણવાળા છે ? ગંધવાળા છે ? રસવાળા છે ? સ્પર્શવાળા છે ? એ પ્રકારની જિજ્ઞાસામાં ગાથાના ઉત્તરાર્ધથી કહે છે – દ્રવ્યાદિ ચારનો વિશેષ વળી યથાયોગ્ય=સૂત્રોક્તનીતિથી યથાસંભવ જાણવો જોઈએ. તે દ્રવ્યાદિ ચારનો વિશેષ ‘તથાદિથી સ્પષ્ટ કરે છે – દ્રવ્યથી અનંતપ્રદેશવાળા જ ભાષાવર્ગણાતા પુગલોને ગ્રહણ કરે છેઃવચનપ્રયોગ કરનાર જીવ ગ્રહણ કરે છે. એક પરમાણુ આદિ આત્મક-એક પરમાણુ બે પરમાણુ આદિ સ્વરૂપ પુદ્ગલોને જીવ ગ્રહણ કરતો નથી; કેમ કે સ્વભાવથી જ તેઓનું પરમાણુ આદિ પુદ્ગલોનું, ગ્રહણ અયોગ્યપણું છે. વળી ક્ષેત્રથી અસંખ્યપ્રદેશ અવગાઢ જ ભાષાવર્ગણાતા પુદ્ગલોનું ગ્રહણ કરે છે; કેમ કે એકપ્રદેશ આદિ અવગાઢ પુદ્ગલોનું ગ્રહણ અયોગ્યપણું છે=જીવથી ગ્રહણ થઈ શકે નહિ. વળી કાળથી એકસમયની સ્થિતિવાળા પણ પગલોને ગ્રહણ કરે છે યાવત્ અસંખ્યસમયની સ્થિતિવાળા યુગલોને પણ ગ્રહણ કરે છે જે ક્ષેત્રમાં બોલનાર પુરુષ રહેલ છે તે આકાશપ્રદેશ ઉપર પૂર્વના સમયમાં આવેલા હોય અને એકસમયની સ્થિતિવાળા હોય તેવા પણ પુદગલોને ગ્રહણ કરે છે અને તે આકાશપ્રદેશ ઉપર અસંખ્યાતસમયથી સ્થિર રહેલા હોય તેવા પણ પગલોને ભાષા બોલનાર જીવ ગ્રહણ કરે છે; કેમ કે પુલોનું અસંખ્ય પણ કાળસુધી અવસ્થાનનો સંભવ છે-એક સ્થાનમાં તે પુદ્ગલોનો તે સ્વરૂપે અવસ્થાનનો સંભવ છે. કેમ એક સ્થાનમાં તે પુગલો અસંખ્યાતસમય રહે છે ? તેમાં શાસ્ત્રવચનની યુક્તિ આપે છે – નિરે એ વચનાત્ ! “જઘન્યથી એકસમય અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ એક સ્થાનમાં પુદ્ગલ સ્થિર રહે" એ પ્રકારનું વ્યાખ્યાપ્રજ્ઞપ્તિનું વચન છે. વસંમસ્થિતિવં.... રૂક્ષશીતો ચેતિ ા અને ગ્રહણાતર જ નિસર્ગમાં ગ્રહણસમયમાં જ અવસ્થાન હોવાને કારણે એકસમયની સ્થિતિ પણ સ્વીકારવી જોઈએ. એક પ્રયત્નથી ગૃહીત પણ પુગલોનું બોલનાર પુરુષના બોલવાને અનુકૂળ એક પ્રયત્નથી ગૃહીત પણ ભાષાવર્ગણાના પુદ્ગલોનું, આદિ
SR No.022031
Book TitleBhasha Rahasya Prakaran Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy