SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૩૫ બળથી તેના નિગમનમાં ઉપયોગી એવા દેશથી ઘટિત મૃગાવતીને અપાયેલો ઉપાલંભ મહાકલ્યાણનું કારણ થયું તે પ્રમાણે ગુરુ બતાવે ત્યારે તદ્દેશઉપાલંભરૂપ ઔપમ્પસત્યભાષાથી તે શિષ્યને અપ્રમાદ કરવાનો ઉત્સાહ થાય છે માટે તે ઔપમ્પસત્યભાષા છે. આ ચરણકરણાનુયોગને આશ્રયીને છે; કેમ કે તે મૃગાવતીના સંયમજીવનના પ્રસંગનું ઉદાહરણ છે. દ્રવ્યાનુયોગ આશ્રયી ઉપાલંભતદેશ : વળી કોઈ યોગ્ય પણ જીવ તે પ્રકારના મતિમોહને કારણે નાસ્તિકવાદના પ્રગટનમાં લંપટ હોય તેથી આત્મા નથી” તે પ્રકારે જ તેને ઉપસ્થિતિ થાય છે તેવા યોગ્ય જીવને દ્રવ્યાનુયોગને આશ્રયીને તદ્શરૂપ ઉપાલંભ દ્વારા માર્ગમાં લાવવા અર્થે મહાત્મા કહે છે કે “આત્મા છે' એ પ્રકારનો વિતર્ક અને “આત્મા નથી” એ પ્રકારનું કુત્સિત જ્ઞાન બન્ને આત્મા ન હોય તો કોને થઈ શકે ? તેથી “આત્મા છે' એ પ્રકારનો તર્ક પણ લોકમાં પ્રસિદ્ધ દેખાય છે. અને “આત્મા નથી' એ પ્રકારનું કુત્સિતજ્ઞાન પણ નાસ્તિકવાદીઓ કરે છે તે પ્રત્યક્ષ દેખાય છે તેથી સિદ્ધ થાય છે કે આ બન્ને પ્રકારના વિકલ્પો કરનાર કોઈક આત્મા નામનું દ્રવ્ય છે; કેમ કે જડને આ પ્રકારના વિકલ્પો થઈ શકે નહિ. આ પ્રકારે ઉપાલંભ આપવાથી યોગ્ય જીવને આત્માના અસ્તિત્વનો નિર્ણય થાય તો પ્રદેશ રાજાની જેમ મનુષ્ય જન્મને સફળ કરવાનો ઉત્સાહ પણ થાય, માટે દ્રવ્યાનુયોગને આશ્રયીને યોગ્ય જીવને આત્મકલ્યાણમાં ઉત્સાહિત કરવા અર્થે તદેશરૂપ ઉપાલંભ દ્વારા મહાત્મા ઔપમ્યસત્યભાષા બોલે છે. રા. તદ્દેશ ઉપમાનના ત્રીજા ભેદરૂપ પૃચ્છાને કહે છે – ટીકા - __ पृच्छा=प्रश्नः, तत्र-'क्वाऽहमुत्पत्स्य' इति भगवति पृष्टे 'षष्ठ्यां नरकपृथिव्या मिति भगवतोत्तरितः सप्तमनरकपृथिवीगमननिमित्तचक्रवर्तिसाम्राज्यसंपादनायाभ्युद्यतः कृतमालेन हतः कूणिक उदाहरणं लोके, लोकोत्तरेऽपि प्रष्टव्या आचार्या जिज्ञासितमर्थम्, पृष्ट्वा च समाचरणीयानि शक्यानि अशक्यानि तु नेति, उदाहरणदेशता चास्याऽभिहितैकदेश एव प्रष्टुराग्रहात्तेनैव चोपसंहारादवसेया, इदमपि लोकं चरणकरणानुयोगं चाधिकृत्य । द्रव्यानुयोगमधिकृत्य तु 'नास्त्यात्मे तिवादी नास्तिकः पृच्छ्यते, 'कुतो नास्त्यात्मेति ? स चेद् ब्रूयात् 'सतोऽपरोक्ष' इति, तदाऽभिधेयम्, भद्र! कुविज्ञानमेतत्ते, विवक्षाऽभावे विशिष्टशब्दानुपपत्तेः इत एवात्मसाधनादिति ।३। ટીકાર્ય : પૃછી .... વાત્મસાધનાવિતિ | પૃચ્છા=પ્રસ્ત, ત્યાં=પૃચ્છામાં, “ક્યાં હું ઉત્પન્ન થઈશ' એ પ્રમાણે ભગવાનને પુછાયે છતે છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થઈશ એ પ્રમાણે ભગવાન વડે ઉત્તર અપાયેલો એવો (કોણિક) સાતમી નરક ગમત યોગ્ય ચક્રવર્તીના સામ્રાજ્યને સંપાદન કરવા સજ્જ થયેલો કૃતમાલદેવ
SR No.022031
Book TitleBhasha Rahasya Prakaran Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy