SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ ભાષારહસ્ય પ્રકરણ ભાગ-૧ | સ્તબક-૧ | ગાથા-૨૫, ૨૬. જીવને જિનપ્રતિમામાં જિન શબ્દનો કોઈ પ્રયોગ કરે તો તેને જિનપદથી જિનપ્રતિમાનો બોધ થાય નહિ, પરંતુ શાસ્ત્રીય અબાધિત સંકેતરૂપ નિરૂઢલક્ષણાથી જિન શબ્દ જિનપ્રતિમાનો વાચક છે તેવો બોધ થાય છે. માટે સંમતસત્યનું લક્ષણ સ્થાપના સત્યમાં પણ પ્રાપ્ત થાય છે. આ દોષનું નિવારણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – એમ ન કહેવું કેમ કે ઉપધેયનું સાંક્યું હોવા છતાં પણ ઉપાધિનું અસાંકર્યું છે તેથી સ્થાપના સત્યસ્વરૂપ ઉપાધિ અને સંમતસત્યવરૂપ ઉપાધિના ભેદથી તે બે ભાષાને પૃથફ સ્વીકારી શકાશે. આશય એ છે કે સંમતસત્યભાષા અને સ્થાપના સત્યભાષા બેનું લક્ષણ સમાન પ્રાપ્ત થવાથી ઉપધયરૂપ તે બન્ને ભાષામાં સાંક્યું છે તેથી તે બે ભાષાને પૃથક સ્વીકારી શકાય નહિ છતાં તે બન્ને ભાષામાં રહેલ સ્થાપના સત્યસ્વરૂપ ધર્મ અને સંમતસત્યસ્વરૂપ ધર્મ તે બન્ને ધર્મ પૃથક હોવાથી તે ધર્મની અપેક્ષાએ તે બે ભાષાને પૃથકુ સ્વીકારી શકાશે એ પ્રકારનો ગ્રંથકારશ્રીનો આશય છે. ll૨પા અવતરણિકા : उक्ता स्थापनासत्या । अथ नामसत्यामाह - અવતરણિકાર્ય : સ્થાપના સત્યભાષા કહેવાઈ. હવે તામસત્યભાષાને કહે છે – ગાથા : भावत्थविहूण च्चिय, णामाभिप्यायलद्धपसरा जा । सा होइ णामसच्चा, जह धणरहिओ वि धणवंतो ।।२६।। છાયા : भावार्थविहीन एव नामाभिप्रायलब्धप्रसरा या । सा भवति नामसत्या यथा धनरहितोऽपि धनवान् ।।२६।। અન્વયાર્થઃ ભાવસ્થવયિ ભાવાર્થવિહીન જ વસ્તુમાં, મમMાવનદ્ધપસર=નામ અભિપ્રાયથી લબ્ધપ્રસરવાળી, ના=જે જે ભાષા, સા=તે, પાનસડ્યા ડું=નામસત્યભાષા છે, ન ઘાદિ વ વવંતો-જે પ્રમાણે ધન રહિત પણ ધનવાન=નામથી ધનવાન. ૨૬ ગાથાર્થ : ભાવાર્થવિહીન જ વસ્તુમાં નામ અભિપ્રાયથી લબ્ધપ્રસરવાળી જે ભાષા તે નામસત્યભાષા છે જે પ્રમાણે ધનરહિત પણ ધનવાન=નામથી ધનવાન. lર૬l
SR No.022031
Book TitleBhasha Rahasya Prakaran Part 01
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2013
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy