________________
૨૦૬ ત્રણ ત્રેસઠ પાખંડી
૨૮૭ આમાં જી વગેરે પદેને પુણ્ય, પાપ એ બે પદ વિના સ્થાપવા. તેની નીચેના ભાગે સ્વ અને પર એ બે શબ્દો લખવા. તે બે શબ્દોની નીચે ૧ કાળ, ર, યથેચ્છ, ૩. નિયતિ, ૪. સ્વભાવ, ૫, ઈશ્વર, ૬. આત્મા. એ છ પદો લખવા.
અક્રિયાવાદીઓના ભેદ લાવવાની રીતમાં પ્રથમ ઉપરોક્ત વાદિપદોને પુણ્ય, પાપ વગર સાત પદ અનુક્રમે એક લાઈનમાં (પાટી) લખવા. પછી તે જીવ વગેરે દરેક પદેની નીચે સ્વ અને પર એ બે શબ્દો લખવા. આત્મા અસત્ત્વ એટલે અવિદ્યમાન હોવાથી તેના નિત્ય-અનિત્ય વિકલ્પ એટલે ભાંગા હોતા નથી. કારણ કે આત્મારૂપ ધર્મીની સિદ્ધિ થવારૂપ આપત્તિ આવતી હોવાથી તે સ્વ અને પર એ બે શબ્દોની નીચે ૧. કાળ, ૨. યદચ્છા, ૩. નિયતિ, ૪. સ્વભાવ, ૫. ઈશ્વર, ૬. આત્મા-એ છ પદે લખવા.
બધા યદરછાવાદીઓ અક્રિયાવાદી જ છે. કેઈ જ ક્રિયાવાદી નથી. તેથી આગળ કિયાવાદીઓમાં તેનું પ્રતિપાદન કર્યું નથી. (૧૧૯૪-૧૧૫)
पढमे भंगे जीवो नत्थि सओ कालओ तयणु बीए । परओऽवि नत्थि जीवो कालाइय भंगगा दोन्नि ॥११९६।। एवं जइच्छाईहिवि पएहि भंगगं दुगं पत्त ।। मिलियावि ते दुवालस संपत्ता जीवतत्तेण ॥११९७॥ एवमजीवाईहिवि पत्ता जाया तो य चुलसीई । भेया अकिरियवाईण हुंति इमे सव्यसंखाए ॥११९८॥
પ્રથમ ભાંગામાં “જીવ નથી સ્વથી અને કાળથી તે પછી બીજા ભાંગામાં જીવ નથી. પરથી અને કાળથી એ બે ભાંગા થયા એમ યઅછા વગેરે પાંચ પદના દરેકના બે-બે ભાંગા થશે. તે બધા ભાંગા ભેગા કરતાં
જીવપદના બાર ભાંગા થયા. એ પ્રમાણે અજીવ વગેરેના ભાંગાએ કરતાં કુલે સવ મળી અકિયાવાદીઓની ભેદ સંખ્યા ચેર્યાસીની (૮૪) થઈ.
હવે વિકલ્પની રીતને કહે છે. ૧. “જીવ નથી. સ્વથી અને કાળથી” એ પહેલે ભાંગે છે. તે પછી ૨. “જીવ નથી. પરથી અને કાળથી” એ બીજો ભાંગે થયે. આ બે ભાંગા કાળને આશ્રયી થયા. હવે ચ૮ચ્છા વગેરે પાંચ પદેના પણ દરેકના સ્વથી અને પરથી એમ બબ્બે ભેદો ગણતા બધા મળીને જીવપદના બાર ભેદે થશે. આ ભાંગાઓને અર્થ આગળની જેમ વિચાર.
પ્રશ્ન - યદચ્છાથી એટલે યદચ્છાવાદીઓના મતે એમ અર્થ કરે. તે તે યદચ્છાવાદીઓ કેણ છે?