SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬.. ત્રણસેા ત્રેંસઠ પાખડી ૨૮૧ : જેમને કુત્સિતજ્ઞાન એટલે અજ્ઞાન છે તે અથવા અજ્ઞાન વડે જે ચરે છે, તે અજ્ઞાનીઓ છે. તેઓ અસંચિત્ય એટલે વિચાર્યા વગર કરેલ બંધની વિફળતા વગેરેનુ પ્રતિપાદન કરનારા છે. તે એ પ્રમાણે કહે છે કે, ‘ જ્ઞાન કલ્યાણકારી નથી. કારણ કે જ્ઞાન હાવાથી પરસ્પર વિવાદના કારણે ચિત્ત કાલુષ્ય વગેરે થવાથી દીર્ઘતર સંસારની પ્રવૃત્તિ થવાના સ ́ભવ છે. તે આ પ્રમાણે છે. કાઈક પુરુષે બીજી રીતે બતાવેલ વસ્તુમાં અમુક કાઈક જ્ઞાની જ્ઞાનના ગવ થી ઉદ્ધૃતમનવાળા થઈ તેના ઉપર ક્લુષિત ચિત્તપૂર્વક તેની સાથે વિવાદ કરે. વિવાદ કરતા તીવ્ર, તીવ્રતર ચિત્તના ક્લુષિત ભાવથી અને અહંકારથી ઘણા ઘણા અશુભ કર્મબંધને સભવ છે. તેનાથી લાંબે અતિલાં સંસાર થાય છે.' તથા કર્યું છે કે, “ બીજા કાઈ એ બીજી રીતે ખતાવેલ ભાવમાં જ્ઞાનના ગથી વિવાદ કરી ક્લુષિત ચિત્તવાળા થાય છે, તેથી તેને ક્રમ બધ થાય છે.' માટે જો અજ્ઞાનના આશ્રય કરવામાં આવે, તા અહંકાર થાય નહીં અને બીજા ઉપર ક્લુષિત ચિત્ત પણ થાય નહીં. આથી કર્મ બંધ પણ થાય નહીં. પરંતુ જે વિચારણાપૂર્વક કબ`ધ કરાય છે, તેના વિપાક એટલે ફળ ભયંકર હોય છે. અને તે તીવ્ર અધ્યવસાયપૂર્વક થયેલ હાવાથી અવશ્ય ભાગવવા પડે છે. તથા મનના વ્યાપાર એટલે વિચાર વગર જેકાયા અને વચનની પ્રવૃત્તિ માત્રથી જે કમ બન્ધ થાય છે તેમાં મનનેા અભિનિવેશ એટલે . આગ્રહ ન હોવાથી અવશ્ય ભાગવવા લાયક થતા નથી. અને તેના ફળ પણ ભયંકર હેાતા નથી. પરંતુ કર્મના સ`ગ ફક્ત અતિ સુકાઈ ગયેલ ચૂનાથી ધાળેલ ભીંત પર રહેલી ધૂળ સમાન હાય છે. તે કમસંગ જાતે જ શુભઅધ્યવસાયરૂપ પવનના જોરથી દૂર થઈ જાય છે. મનમાં અભિનિવેશના ભાવ એટલે આગ્રહ રહિતપણું' અજ્ઞાનના સ્વીકારથી આવે છે. જ્ઞાન હેાવાથી અભિનિવેશપણાના સંભવ છે. તેથી અજ્ઞાનને જ મેાક્ષમાર્ગમાં પ્રવૃત્તિ કરનાર મુમુક્ષુઓએ સ્વીકારવું. પણ જ્ઞાનને નહીં સ્વીકારવું. જ્ઞાનના સ્વીકાર ત્યારે યુક્ત એટલે યાગ્ય થઈ શકે. જો જ્ઞાનને નિશ્ચય કરવામાં આવે તા, પરંતુ તે જ્ઞાનના નિશ્ચય થઈ શક્તા નથી. કારણ કે બધા દશનીએ એટલે ધવાળાએ પરસ્પર ભિન્ન પ્રકારનું જ જ્ઞાન સ્વીકારે છે-માને છે. તેથી નિશ્ચય કરી શકાતાં નથી કે શું આ જ્ઞાન સમ્યગ્ છે, કે મિથ્યા છે? કહ્યું છે કે, ' બધા જ્ઞાનીએ પરસ્પર જ્ઞાન ભિન્ન-ભિન્ન પ્રકારે કહે છે. તેથી આ પ્રમાણે છે.’ એમ નિશ્ચય કરી શકાતા નથી. તે (૧) અજ્ઞાનીઓના સડસઠ (૬૭) ભેદ છે. * ૩૬
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy