SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૧ ૬૬. ચરણસિત્તરી અથવા વર્ષારાતુમાં કુથવા વગેરે જી ઘણું થયા હોય, તે વારંવાર વસતિની પ્રમાજના કરે એટલે કાજે લે. જે વસતિમાં જીવજંતુને ઉપદ્રવ ન હોય ત્યાં પણ તુબદ્ધકાળમાં (શેષકાળ) બે વખત અવશ્ય વસતિ પ્રમાજે. એક સવારે અને બીજી વાર સાંજની પડિલેહણમાં. વર્ષાઋતુમાં ત્રીજીવાર વસતિ પ્રમાજવી જોઈએ. બે પૂર્વોક્ત સમયે અને ત્રીજી મધ્યાહ્ન સમયે. ઋતુબદ્ધકાળમાં અથવા વર્ષાઋતુમાં જે કુંથુવા વગેરે ઘણું જીવોની ઉત્પત્તિ થઈ ગઈ હોય, તે ઘણીવાર પણ વસતિ પ્રમાજે'. જે જીવ સંસક્તવાળી વસતિ પણ પૂર્વોક્ત પ્રમાર્જના વડે જ જીવજંતુ વગરની થઈ જાય, તે વધારે વાર પ્રમાર્જન ન કરવી, નહીં તે ઘણીવાર પ્રમાર્જના કરવી. હવે ઘણીવાર વસતિની પ્રમાર્જના કરવા છતાં પણ જીવ જંતુને અતિ ઉપદ્રવ (ઉત્પત્તિ) હોય, તે બીજી વસતિમાં કે બીજા ગામે વિહાર કરી જાય. (પ૯૪) ગુપ્તિ - मणगुत्तिमाइयाओ गुत्तीओ तिन्नि हुंति नायव्वा । अकुसलनिवित्तिरूवा कुसलपवित्तिस्सरूवा य ॥ ५९५ ॥ મનગુપ્તિ વગેરે ત્રણ ગુપ્તિએ જાણવી. તે ગુપ્તિ અકુશલ ગની નિવૃત્તિરૂપ અને કુશલ યોગની પ્રવૃત્તિરૂપ સ્વરૂપવાળી છે. મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુસિએમ ગુપ્તિઓ ત્રણ પ્રકારે છે. અકુશલ મન, વચન, કાયાના રોગની નિવૃત્તિ અને કુશલ એટલે શુભ મન, વચન, કાયાના વેગોની પ્રવૃત્તિ, તે ગુપ્તિ કહેવાય. ૧. મને ગુપ્તિ - આને તાત્પર્યાથે આ રીતે છે. ૧. મનેગુપ્તિ ત્રણ પ્રકારે છે. ૧. આતં– રૌદ્રધ્યાનાનુબંધી જે વિચારણું, તેને નિરોધ કરે. ૨. શાસ્ત્રાનુસારી–પરલોક સાધનારી, ધર્મધ્યાનના અનુબંધવાળી માધ્યસ્થ પરિણતિ. ૩. શુભ કે અશુભ મનોવૃત્તિના નિરધથી યેગનિરોધ અવસ્થા સમયની સ્વાભરમણતા. ર. વચનગુપ્તિ - વચનગુમિ બે પ્રકારે છે. ૧. મુખ, હાથ, ભ્રમરના વિકાર, આંગળીની ચપટી વગાડવી, ઊંચા થવું, ખાંસી, છીંક, હુંકારે, ઢેકું–કાંકરી નાંખવા વગેરે અર્થસૂચક ચાના પરિહારપૂર્વક મારે આજે કશું ન બોલવું. મૌનને અભિગ્રહ કરી ચેષ્ટા એટલે ઈશારા વગેરે દ્વારા પિતાના પ્રજને સૂચવવાથી મૌન નિષ્ફળ જ થાય છે. ૨. લેક અને આગમથી અવિરુદ્ધપણે વાચના, પૃચ્છના, બીજાએ પૂછેલા પ્રશ્નોના ઉત્તર વગેરે, મુહપત્તિનાં ઉપગપૂર્વક વચનનું નિયંત્રણ.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy