________________
૧૯૬
પ્રવચનસારોદ્ધાર
(૮) જકાર, ચકાર, મકાર, વગેરેની ગાળે બેલે. (૯) ઝાડ (વડીનીતિ), પેશાબ (લઘુનીતિ) કરે. (૧૦) શરીરને નવડાવે–દેવડાવે. (૧૧) દાઢી, મૂછ, માથાની હજામત કરાવે. (૧૨) હાથ પગના નખ કેતરાવે. (૧૩) શરીરમાંથી નીકળતું લેહી ત્યાં નાંખે. (૧૪) સુખડી વિગેરે ભાતું ત્યાં ખાય. (૧૫) ઘા વગેરેની ચામડીને ત્યાં નાંખે. (૧૬) દવા વગેરેથી ત્યાં પિત્ત કાઢે. (૧૭) ઉલ્ટી કરે. (૧૮) દાંતેને નાંખે કે દાંત ઘસે. (૧૯) અંગોપાંગ દબાવડાવે. (૨૦) બકરા વગેરે પશુઓને બાંધે. (૨૧) થી (૨૮) દાંત, આંખ, નાક, કાન, ગાલ, માથુ, નખ અને ચામડીને
મેલ ત્યાં નાંખે. (૨૯) મંત્ર એટલે ભૂત વગેરે નિગ્રહરૂપ અથવા રાજાદિના કાર્યની વિચારણા
રૂપ. તે દેરાસરમાં કરે. (૩૦) પોતાના લગ્ન વગેરે કાર્ય માટે વૃદ્ધ વગેરે પુરુષરૂપ જ્ઞાતિને (પંચને
ભેગુ કરે) ભેગી કરે. (૩૧) વેપાર વગેરેના દસ્તાવેજના લેખ કરે. (૩૨) ભાગીદાર વગેરેના ભાગો ત્યાં પાડે. (૩૩) પિતાના પૈસા વગેરેને ત્યાં ભંડાર કરે. (૩૪) પગ ઉપર પગ ચડાવીને ઔચિત્ય વિના બેસે. (૩૫) છાણું સૂકવે. (૩૬) કપડા સૂકવે. (૩૭)-(૩૯) મગ વગેરેની દાળ, પાપડ, વડી વગેરે સૂકવે. (૪૦) રાજા, લેણદાર વગેરેના ભયથી દેરાસરના ગભારા વગેરેમાં સંતાય. (૪૧) સ્ત્રી, પુત્ર, વગેરેના વિયેગથી દેરાસરમાં રડે. (૪૨) જુદી જુદી જાતની સ્ત્રી વગેરેની સુંદર કથારૂપ વિકથા કરે. (૪૩) બાણ, અસ્ત્ર, ધનુષ્ય વગેરે ઘડાવે. (૪૪) ગાય, ઘેડા વગેરે ત્યાં રાખે.