________________
શ્રીઅભયકુમાર' નામના મુનિપુ ગવની કથા,
( ૨૧૫ )
તેમજ ચાર શરણના આશ્રય કરી દેવલેાક પ્રત્યે ગયા.
66
હવે શ્રેણિક ભૂપતિ, પોતાના મન્ને ભુજને વિષે પૃથ્વીના ભાર ધારણ કરવા લાગ્યા. તેમજ તેણે એનાતટ નગરમાં ગર્ભસહિત મૂકેલી નંદા પણુ દુહુ એવા ગર્ભને ધારણ કરવા લાગી. નદાને એવા ડાહલેા ઉત્પન્ન થયા કે “ જાણે હું હસ્તિ ઉપર બેસી માણસાને ઉપકાર કરી અભય આપનારી થાઉં. ” તેના આવા ડાહલા તેના પિતાએ રાજાની વિન ંતિ કરીને પૂરા કર્યા. જેમ પૂર્વ દિશા સૂર્યને પ્રગટ કરે તેમ ન ંદાએ પૂર્ણ અવસરે શુભ દિવસે પુત્રને જન્મ આગ્યે. માતામહે ( ભદ્ર શ્રેષ્ઠીએ ) ડાહલાના અનુસારથી પુત્રનું મહાત્સવ પૂર્વક અભયકુમાર એવું નામ પાડયું, અનુક્રમે ઉત્તમ વિદ્યાના અભ્યાસ કરતા તે પુત્ર વૃદ્ધિ પામવા લાગ્યા. આઠ વર્ષમાં તે તેર કલાનેા જાણ થયા.
એકદા સરખે સરખા છેાકરાઓની લડાઇ થઇ એમાં કાઇ કરાએ અભયને તિરસ્કાર કરીને કહ્યુ કે “ અરે જડ અભય ! તું ખેલે છે શું ? ત્હારા પિતાને તા તું જાણતા નથી. ” અભયકુમારે કહ્યું. “ નિચે મ્હારા પિતા ભદ્ર શ્રેષ્ઠી છે.” તેણે કહ્યુ “ અરે તે તેા હારી માના પિતા છે. પછી અભયકુમારે ઘેર જઈ માતાને પેાતાના પિતાનું સ્વરૂપ પૂછ્યુ એટલે નદાએ કહ્યું કે હારા પિતા આ ભદ્ર શ્રેષ્ઠી છે. ” ફ્રી અભયકુમારે “ એ ભદ્ર શ્રેષ્ઠી દ્ઘારા પિતા છે મ્હારે નહિ. ” એમ કહ્યું એટલે બહુ શાયુક્ત થએલી નંદાએ કહ્યું મ્હારા પિતાએ મને કાઈ પરદેશીની સાથે પરણાવી હતી. તું ગર્ભમાં આવ્યા પછી કેટલાક ઉંટવાલા પુરૂષા હારા પિતા પાસે આવ્યા. પછી એકાંતમાં મ્હારી રજા લઈ તે ઉંટવાલા સાથે ત્હારા પિતા કયાંઈ ગયા છે પણ કયાં અને શા માટે ગયા છે ? તે હું નથી જાણતી. ” અભયકુમારે ફરી પૂછ્યું. “ હે માતા ! તે ગયા ત્યારે તને કાંઇ કહેતા ગયા છે ? નંદાએ “ મને આટલા અક્ષા આપતા ગયા છે ” એમ કહી પુત્રને અક્ષરા દેખાડયા.
te
પછી અક્ષરાને જોઇ તથા વિચાર કરી હર્ષ પામેલા અભયકુમારે નંદાને કહ્યું. “ હે માતા ! મ્હારા પિતા રાજગૃહ નગરના રાજા છે. માટે હમણાં આપણે ત્યાં જઈએ. ” પછી ભદ્રશ્રેષ્ઠીની રજા લઈ પરિવારયુક્ત અભયકુમાર પાતાની માતાને સાથે લઈ રાજગૃહ નગર પ્રત્યે ગયા. ત્યાં તે પેાતાની માતાને બહારના ઉદ્યાનમાં એસારી પાતે થાડા પિરવારથી રાજગૃહ નગરમાં ગયા.
હવે અહીં શ્રેણિક રાજાએ વિદ્વાન અને ચતુર એવા ચારસાને નવાણું મંત્રીએ એકઠા કર્યા હતા અને પૂર્ણ પાંચસો મંત્રી અનાવવાને કાઇ એક ઉત્તમ પુરૂષની દેશમાં શેાધ કરતા હતા. તેણે મંત્રીની પરીક્ષા માટે પેાતાના હાથની વિટી જલરહિત કુવામાં નાખી નગરવાસી જનાને એવી આજ્ઞા કરી કે “ જે પુરૂષ આ કુવાના કાંઠે જ ઉભા રહી મુદ્રિકા લેશે તેને હું મ્હારૂં સર્વ મંત્રીઓને વિષે મુખ્ય એવું પ્રધાનપદ આપીશ.” નગરવાસી લેાકેાએ પણ કહ્યું કે “ એ કુવામાંથી મુદ્રિકા