________________
(૨૦)
ચીત્રષિમંડલ વૃત્તિ-ઉત્તરદ્ધ એવું નામ પાડયું. પિલી વિપ્ર સ્ત્રીને જીવ પણ અનુક્રમે સ્વર્ગથી ચવીને દુગંછાકર્મના વશથી અતિ રૂપવંતી મંખપુત્રી થઈ. ઈલાપુત્ર અને મંખપુત્રી એ બન્ને જણાં અનુક્રમે કામદેવ રૂપ ગજરાજને કાડાવન રૂપ વનાવસ્થા પામ્યાં. * એકદા ઈલાપુત્રે નૃત્ય કરતી એવી સંખપુત્રીને દીઠી તેથી તે પૂર્વ જન્મના પ્રેમથી તેના ઉપર બહુ અનુરાગ ધરવા લાગ્યા. પછી કામાતુર એ તે ઈલાપુત્ર મનમાં બહુ ચિંતા કરતા છતે પિતાને ઘેર આવ્યું. કામવરથી અત્યંત પિડિત થએલા અને કેઈ સ્થાનકે સુખ નહિ પામતા એવા તે ઇલાપુત્રને જોઈ તેની માતાએ મોહથી કહ્યું કે “હે વત્સ! હારા શરીરને વિષે શું આધિ (મન સંબંધી પીડા) અથવા વ્યાધિ ( શરીર સંબંધી પીડા) ઉત્પન્ન થઈ છે? કે કેઈએ હારી આજ્ઞા લોપી છે કે જેથી લ્હારૂં અનિષ્ટ થયું છે?”
નિશ્ચ કહ્યા વિના કાર્યસિદ્ધિ થવાની નથી” એમ પિતાના મનમાં વિચાર કરીને અને લજજા ત્યજી દઈને ઈલાપુત્રે પિતાને સર્વ ભાવ માતાને કહ્યો. પછી માતાએ તેને ભાવ તુરત પિતાના પતિની આગળ કહ્યો. એટલે શ્રેણી, પુત્રની પાસે આવીને મધુર વાણીથી કહેવા લાગ્યું.
“હે વત્સ! હારા કુળને અગ્ય એ આ નવીન ભાવ કેમ ઉત્પન્ન થયો? કારણ કે ઉત્તમ પુરૂષ તે નીચ લોકેની સાથે વાત પણ કરતા નથી. જે તે મને કહે તે હું હમણાં જ ઉત્તમ કુલવંત કન્યાઓની સાથે હારૂં મહોત્સવ પૂર્વક પાણગ્રહણ કરાયું પરંતુ તે આ કદાગ્રહ તજી દે. ”
પિતાનાં આવાં વચન સાંભળી ઈલાપુત્રે કહ્યું. “હે પિતા! સાંભળો હારે બીજી રૂપવતી કન્યાઓનું પ્રયોજન નથી હું તમારે એકજ પુત્ર છું માટે જે તમારે મને ઘરે રાખવાની મરજી હાયતા હારું મંખપુત્રીની સાથે પાણિગ્રહણ કરાવો.”
આવી ગૃહનિવાસ કરવામાં એક નિશ્ચયવાલી પુત્રવાણી સાંભળી પોતાના એકના એક પુત્ર ઉપરના સ્નેહને લીધે શ્રેષ્ઠીએ મખ પ્રત્યે જઈને કહ્યું કે –
“હે મંખ! તું જેટલું દ્રવ્ય માગે તેટલું હું તને આપું પરંતુ તે પોતાની પુત્રી મારા પુત્રને આપ. '
મંખે કહ્યું “મારે બહુ દ્રવ્યનું પ્રયોજન નથી, કારણ મારે તે પુત્રી એજ અક્ષય દ્રવ્ય છે માટે તે હું તમારા પુત્રને નહિ આપું શ્રેણી ! જો તમારે પુત્ર તમને તજી દઈ મારે ઘરજમાઈ થઈને નિરંતર હારે ઘરે રહે તે હું ઉત્તમ ગુણવંત એવા તમારા પુત્રને આ હારી કન્યા હર્ષપૂર્વક આપું અન્યથા નહીં. ”
મખનાં આવાં વચન સાંભલી શ્રેષ્ઠીએ ઘરે જઈ પિતાના પુત્રને કહ્યું કે -
મેં સંખને બહુ લાભ પમાડે, પણ તે પિતાની પુત્રી આપતા નથી. વલી તે એમ કહે છે કે જે તમારો પુત્ર હારે ઘર જમાઈ થઈને હંમેશા મહારે ઘરે રહે તે હું તેને હારી પુત્રી પરણવું. માટે હે પુત્ર! કુલને અયોગ્ય એવા તે નીચ
સંગના કદાગ્રહને તજી દેવું. ત્યારું ઉત્તમ કુલની કન્યાઓની સાથે પાણિગ્રહણ કરવું.