________________
nnnnnnnn
શ્રી મેતાર્ય” નામના મુનિવરની કથા.
(૯) પુરીમાં જઈ ધર્મષી એવા તે બન્ને પુત્રને ધર્મને વિષે સ્થિર કર.” પછી સાગરચંદ્ર મુનિ અવંતી નગરી પ્રત્યે ગયા અને અનુક્રમે સાંજ વખતે ત્યાં ઉપાશ્રયે પહોંચ્યા. ત્યાંના સ્થાયી સાધુઓએ તેમને પોતાની પાસે રાખ્યા. તેથી તે મુનિ ત્યાં. પોતાની શુદ્ધ સમાચારી કરવા લાગ્યા.
બીજે દિવસે ભિક્ષાવસરે સાધુઓએ તેમને કહ્યું કે “હે મહામુનિ ! અમે આપના માટે ભિક્ષા લાવશું માટે આપ અહિ જ રહો.” સાગરચંદ્ર મુનિએ કહ્યું હું પોતે જ આણેલે આહાર લઉં છું. માટે હે મુનિઓ! તમે મને વેગ કુલ બતાવો.” પછી સાધુઓએ તેમની સાથે એક બાલ શિષ્યને મોકલ્યો. તે શિષ્ય તેમને પુરોહિતનું ઘર બનાવી તેમની આજ્ઞાથી પાછો વળ્યો. સાગરચંદ્ર મુનિ પણ પુરોહિતના ઘરની અંદર જઈ મોટા શબ્દથી જેટલામાં વારંવાર ધર્મલાભ કહેવા લાગ્યા તેટલામાં પુરોહિતની સર્વ સ્ત્રીઓએ તેમને કહ્યું કે, “હે મુનિ ! આપ ધીમે બેલો કારણ કે અહીં બે દુષ્ટ કુમારે રહે છે. સ્ત્રીઓએ આમ કહ્યા છતાં પણ મુનિ તે તેમને ગાઢ સ્વરથી ધર્માશિષ દેવા લાગ્યા. તે ઉપરથી સ્ત્રીઓએ જાણ્યું કે આ મુનિ બેહેરા દેખાય છે. પછી તે સ્ત્રીઓએ શુદ્ધ અન્નથી પ્રતિલાલેલા મુનિ મહાટા સ્વરથી ધર્મલાભ આપી જેટલામાં દ્વાર પાસે આવ્યા તેટલામાં ધમલાભને શબ્દ સાંભળી અત્યંત ક્રોધ પામેલા પુરોહિત અને રાજાનો પુત્ર તુરત દ્વાર પાસે આવી તે ઉત્તમ મુનિને કહેવા લાગ્યા કે અરે મુંડ ! અમારી આગળ નૃત્ય કર, નહિ તે હારો અહીંથી કયારે પણ છુટકે થવાનો નથી.” મુનિએ કહ્યું. “હે કુમારે! અદભૂત એવું નૃત્ય તો કરીશ પણ તેને ગ્ય એવું વાજીંત્ર કેણુ વગાડશે ? જે તમે બન્ને જણું મારા નૃત્યને ચોગ્ય વાજીંત્ર નહિ વગાડે તે હું તમને બન્ને જણાને મહા દુઃખદાયી શિક્ષા કરીશ.” મદોન્મત્ત એવા તે બે કુમારોએ મુનિ સાગરચંદ્રને કહ્યું “હે મુનીશ્વર ! તમે નૃત્ય કરે અમે તમારે યોગ્ય વાજીંત્ર વગાડશું,” પછી સુબુદ્ધિવાળા સાગરચંદ્ર મુનિ પૂર્વના અભ્યાસથી આદરપૂર્વક નૃત્ય કરવા લાગ્યા તે વખતે અને કુમારે મૂર્ણપણાને લીધે વાજીંત્ર વગાડવા લાગ્યા. પછી અત્યંત ક્રોધ પામેલા સાગરચંદ્ર મુનિએ “અરે અધમ કુમારે! હારા નૃત્ય પ્રમાણે તમે એગ્ય વાજીંત્ર કેમ નથી વગાડતા?” એમ કહીને એક હાથવડે પકડી તેઓને એવા તાડન કર્યા કે જેથી તેમના શરીરના સાંધે સાંધા ઉતરી ગયા. આમ થવાથી તો તેઓ જવા, આવવા, ઉઠવા કે બેસવા પણ સમર્થ થયા નહીં. ત્યાં ને ત્યાં રહ્યા છતાં બહુ દુઃખ પામવા લાગ્યા. મુનિએ પણ તુરત દ્વાર ઉઘાડી ઉદ્યાનમાં જઈ જિનેશ્વરનું ધ્યાન કરવાપૂર્વક કાયેત્સર્ગ કર્યો.
પછી આ વૃત્તાંતની ભૂપતિને ખબર પડી એટલે તે રાજસેવકે પાસે સાધુઓના આશ્રમને વિષે તે મહામુનિની શોધ કરાવવા લાગ્યા. ઉપાશ્રયમાં રહેલા સાધુઓએ કહ્યું. “અહીં કઈ પ્રાળુણક સાધુ આવ્યા હતા પણ તે કયાં ગયા તે અમે