________________
શ્રી મેતાર્ય' નામના મુનિવરની કથા,
(૯૭) થયા હતા. પ્રિયદર્શનાએ પણ ગુણચંદ્ર અને બાલચંદ્ર નામના બે પુત્રને જન્મ આ હતે. ચંદ્રાવતંસ ભૂપાલે સાગરચંદ્રને યુવરાજ પદે સ્થાપી મુનિચંદ્ર કુમારને ઉજજયિની નગરી આપી.
એકદા માઘમાસને વિષે ચંદ્રાવતંસ ભૂપાલે રાત્રીએ સામાયિક વ્રત લઈ એવો અભિગ્રહ લીધે કે “ જ્યાં સુધી આ હારા વાસગૃહમાં આ દીવો બળે ત્યાં સુધી હારે ત્રણ પ્રકારના સંસારના તાપને નાશ કરનાર કાર્યોત્સર્ગ હો ” ભૂપતિએ આ ઉગ્ર અભિગ્રહ લઈ કાયોત્સર્ગ કર્યો એટલામાં તેની શય્યાપાલિકા દાસી પિતાના મનમાં વિચાર કરવા લાગી કે, “ દીવો હોલવાઈ જવાને લીધે ઘેર અધકાર થયે છતે હારે ભૂપતિ શય્યામાં સૂવા માટે શી રીતે આવી શકશે ? ” આમ વિચાર કરીને તેણીએ પહેલા પહોરને વિષે દીવામાં તેલ ખૂટ્યું એટલે ફરી ભૂપતિના દુષ્કર્મ યેગથી દીવામાં તેલ પૂર્યું. આ પ્રમાણે તેણુએ સ્વામીભક્તિને લીધે બીજા, ત્રીજા અને ચોથા પહેરને વિષે દીવામાં તેલ પૂર્યા કર્યું. પછી પ્રભાતે ચંદ્રાવતંસ ભૂપતિને કમળપણથી કાઈ એવી વેદના ઉત્પન્ન થઈ કે જેથી તે મૃત્યુ પામ્યો. પાછલ પ્રધાનાદિ પુરૂષોએ મહા ભાગ્યવંત એવા સાગરચંદ્રને ઉત્સવ પૂર્વક રાજ્યાભિષેક કર્યો. એક દિવસ મહાશય એવા સાગરચંદ્ર ભૂપતિએ પોતાની અપર માતા પ્રિયદર્શનને સ્નેહપૂર્વક કહ્યું. “હે માત! આપ હારી આજ્ઞાથી આ સામ્રાજ્યપદ આપના મનની પ્રસન્નતા માટે નિચે આપના પુત્રને આપો. કારણ વૈરાગ્યવાસિત થએલે હું અરિહંત સંબંધી દીક્ષા લઈશ.” પુત્રે આમ કહ્યું તોપણ પ્રિયદર્શનાએ લોકલજજાથી તેનું વચન માન્ય કર્યું નહીં. પછી સાગરચંદ્ર ભૂપતિ પિતાના પુત્રની પેઠે પ્રજાનું પાલન કરતો છતો પિતાના પુણ્યથી પૃથ્વીનું રાજ્ય ભેગવવા લાગ્યો.
એકદા રાજ્યલક્ષ્મીથી દેદીપ્યમાન એવા સાગરચંદ્ર ભૂપાલને જોઇ અપર માતા પ્રિયદર્શના વિચાર કરવા લાગી કે. “ હા હા ! ધિક્કાર છે મને, જે મેં તે વખતે હારા પુત્રને રાજ્ય આપતા એવા આને ના પાડી. જે હારા પુત્રને રાજ્ય મળ્યું હોત તો તે પણ હમણ આની પેઠે બહુ શોભા પામત. જે તે આજ સુધી નાશ નથી પામ્યો તે હું તેને મારી નાખ્યું જેથી મ્હારા પુત્રને રાજય મલે.” આ પ્રમાણે વિચાર કરી તે પ્રિયદર્શના રાજાનાં છિદ્ર જેવા લાગી. કેઈ એક દિવસ સવારે સાગરચંદ્ર ભૂપતિ પોતાના પરિવાર સહિત બહાર ઉદ્યાનમાં કીડા કરવા ગયો. ત્યાં કીડા કરતા એવા ભૂપતિને બહુ ભૂખ લાગી તેથી તેણે રસોઈયા પાસેથી શીવ્ર ભેજન મગાવ્યું. રસોઈયાએ પણ સ્નિગ્ધ ભેજન દાસીના હાથમાં આપી ભૂપતિ પાસે મેકલી. તે ભેજનમાં ભૂપતિ માટે એક મોટો લાડુ બનાવ્યેા હતો. આ વાતની અપરમાતા પ્રિયદર્શનાને ખબર પડી તેથી દુષ્ટ બુદ્ધિવાલી તે પોતાના હાથ વિષ વાળા કરી ઝટ માર્ગમાં આવીને ઉભી રહી. પછી તે દુષ્ઠાએ દાસીને આવતી જોઈ પૂછયું કે “અરે! લ્હારા હાથમાં શું છે અને તું ક્યાં જાય છે તે કહે?” દાસીએ
૧૩