________________
५८
आगमोपनिषद् निशीथचूर्णिद्वितीयोद्देशकवचनात् । रजोहरण-मुखांशुके तु नौघोपधिः, श्रावकाणां कारणमपेक्ष्येत्वरकालग्रहणेनौपग्रहिવવી |
તથા મુહપત્તિનું ગ્રહણ, સાધુ માટે નિવાસ બનાવડાવવો વગેરે જે આઠ પ્રવચનના મૂળ સ્તંભો આ (વિવક્ષિત ગ્રંથ)માં કહેવાય છે, તેમાં પણ ઘણો વિચાર કરવા યોગ્ય છે. તે આ રીતે -
અનુયોગકાર, નિશીથ ભાષ્ય વગેરેમાં મુહપત્તિ, રજોહરણ પ્રતિક્રમણ વગેરે કૃત્યમાં શ્રાવકોએ લેવા જોઇએ, એમ કહ્યું છે, પણ તે શ્રાવકના ઔપગ્રહિક (ઉપકરણ) હોવાથી 'લિંગ' બનતા નથી, એમ બહુશ્રુતોએ કહ્યું છે. કારણ કે એવો ઉપદેશ છે, કે જે ઉપધિનું અવશ્ય ગ્રહણ કરવાનું હોય, તે ઉપધિ લિંગ કહેવાય. ઓઘ ઉપધિ (ઓધિક ઉપકરણ) એટલે ઓઘ = સંક્ષેપ = અલ્પ લિંગકારક (લિંગરૂપ બને તેવો) અવશ્ય ગ્રહણ કરવા યોગ્ય (ઉપધિ).
ઉપગ્રહોપધિ = ઔપગ્રહિક (ઉપકરણ) - જે કારણની અપેક્ષાએ સંયમનું ઉપકરણ બને છે, માટે તેનું ગ્રહણ કરાય છે. આ રીતે નિશીથસૂત્રની ચૂર્ણિમાં બીજા ઉદ્દેશામાં કહ્યું છે.
રજોહરણ અને મુહપત્તિ એ (શ્રાવકોની અપેક્ષાએ) ઓઘ ઉપધિ નથી. કારણ કે શ્રાવકો કારની અપેક્ષાએ તેનું અમુક સમય માટે ગ્રહણ કરે છે. માટે તે ઓપગ્રહિક (ઉપધિ) છે.