________________
१६८
दुःषमगण्डिका
એમ જાણીને તુરમણી નામની નગરીમાં પોતાના ભાણેજ દત્ત નામના રાજા પાસે કાલિકાચાર્ય ગયા. તેમણે પોતાના શરીરનો ત્યાગ કર્યો એટલે દરકાર ન કરી, પરંતુ અધર્મયુક્ત અસત્ય વચન ન જ બોલ્યા. એટલે કે દત્ત રાજાએ પ્રાણાંત સુધીનો ભય બતાવ્યા છતાં યજ્ઞનું ફળ પૂછ્યું ત્યારે ગુરુએ યજ્ઞનું ફળ નરક જ કહ્યું. તેથી દત્ત રાજા અતિ કોપ પામ્યો, પરંતુ તે ગુરુને કાંઈ પણ કરી શક્યો નહીં, ઉલટો પોતે મરીને નરકે ગયો. (૨૭૬)
આગમને પુસ્તકારૂઢ કર્યાનો સમય वल्लहिपुरम्मि नयरे, देवड्डीपमुहेण समणसंघेण । पुत्थे आगम लिहिओ, नवसय असीइ तदा वीरो ॥ २७७॥
અર્થ : વીરનિર્વાણથી નવસો ને એંશી વર્ષે વલ્લભીપુર નગરમાં દેવર્દ્રિગણિ ક્ષમાશ્રમણ વગેરે શ્રમણસંઘે આગમને પુસ્તકમાં લખાવ્યા. (૨૭૭)
દિગંબરની ઉત્પત્તિનો સમય
रहवीरपुरनयरे, तह सिद्धिगयस्स वीरनाहस्स । छसयनवउत्तरीए, खमणा पाखंडिया जाया ॥२७८॥ .