SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुजरातना ऐतिहासिक लेख ચાપા અથવા ચાવડા રાજાની બહેન લીલાદેવીથી ઉત્પન્ન થયે હતે. મેરૂતુંગ લખે છે કે વિ. સં.૯૯૮ માં પિતાના બે ભાઈ સાથે રાજ સોમનાથ પાટણની યાત્રાએથી વળતાં અણહિલવાડ પાટણ રોકાયા હતા અને ઘોડેસ્વારની કવાયતની ટીકાથી તેમજ પિતાની ઘેડેસ્વાર તરીકેની હુશીયારીથી રાજાનું ધ્યાન ખેચ્યું. તેનું કુળ જાણ્યા બાદ તેની સાથે લીલાદેવીને પરણાવી. તે પ્રસવસમયે ગુજરી ગઈ, પણ તેનું પેટ ચીરી, મૂલરાજને જીવતો કાઢયો. મૂલરાજ(મૂળ નક્ષત્રમાં જો તેથી)ને તેના મામાએ ભણાવ્યગણાવ્યું અને માટે કર્યો. દારૂના નિશામાં તેને ઘણી વાર રાજગાદી આપવામાં આવતી, પણ નિશા ઉતર્યા બાદ પાછી લઈ લેવામાં આવતી. આથી કંટાળી મૂળરાજે તેનું ખૂન કરાવી ગાદી પડાવી લીધી. | મી. ફાર્બસે આ વૃત્તાન્તને થેડી ઘણી અસંબદ્ધ હકીકત કાઢી નાંખીને સ્વીકાર્યો છે અને તેણે તથા મી. એફીસ્ટને માન્યું છે કે મૂલરાજને બાપ કાજમાંથી નહીં, પણ દક્ષિણુના ચૌલુક્ય વંશની રાજધાની કલ્યાણમાંથી આવેલ હતું. મેરૂતુંગ લખે છે કે સામંતસિંહ વિ. સ. ૯૯૧થી ૯૮ સુધી રાજ કર્યું. તેમ જ રાજ અણહિલવાડમાં પણ ૯૯૮ માં આવ્યું એમ લખેલ છે. આ બે બનાવ વચ્ચે ઓછામાં ઓછું વીશ વર્ષનું અંતર હોવું જોઈએ, તેથી આ વૃત્તાન્ત સર્વથા ત્યાજ્ય છે. ચાપોત્કટ અને ચૌલુક્ય વંશને જોડવાના હેતુથી ભાટચારણએ આ બનાવ કપી કાઢયે હવે જોઈએ. દ્વયાશ્રય કેશમાં આ સંબંધી કાંઈ પણ ઉલ્લેખ નથી. તેથી તેમ જ તામ્રપત્ર નં. ૧ માંની થેડી હકીકત છે તેથી ઉપરની અટકળને ટેકા મળે છે. ફાર્બસે સુચવ્યું છે તે મુજબ દ્વયાશ્રય કેશ હેમચંદ્રની જ કૃતિ નથી. વિ. સ. ૧૩૧૨ માં અભયતિલકે તેમાં સુધારાવધારે કરેલ છે અને કેટલીક અસંબદ્ધ હકીકત ઉપરથી અટકળ થાય છે કે બાકીને ભાગ પણ માત્ર ૧૨ મી સદીના લેખકને રચેલે નથી. તોપણું એકંદરે તે મેરૂતુંગના ગ્રંથ કરતાં વધુ પ્રમાણભૂત છે. તેમાં મૂલરાજને માત્ર ચૌલુક્ય લખે છે. અને તેની બહાદુરી અને શક્તિનાં વખાણ કરેલ છે. આપણુ લેખમાં પણ દાન દેનારની ઉત્પત્તિ સંબંધી ટુંકુ વર્ણન છે. તેને સેલંકી વંશમાં જન્મેલો અને મહારાજાધિરાજ રાજીને દીકરે લખ્યો છે. તેણે સારસ્વત મંડલ (સરસ્વતી નદીની આસપાસને મુલક ) પોતાના બાહુબળથી મેળવ્યું. મેરૂતુંગનું વર્ણન સાચું હોય તે રજપૂતના રખડતા નાના છોકરાને મહારાજાધિરાજ લખાય નહી. મૂલરાજના દાનપત્રની હકીક્ત ધ્યાનમાં લેતાં તેમ જ મૂલરાજને વંશને સ્થાપક વર્ણવ્યો છે તે ઉપરથી અનુમાન થાય છે કે તેના પૂર્વ ચૌલુક્યના અસલ દેશના રાજા હશે અને ત્યાંથી તેના દુશમનથી હાંકી કાઢવાથી અગર વધુ પ્રદેશ મેળવવાના લેભથી ગુજરાતમાં તે આવ્યો હશે. તે અસલ પ્રદેશ કો તે સવાલ વિચારવાનું છે. ગુજરાતના ભાટ લખે છે કે વિ. સ. ૭૫૨માં કાજમાં કાણુકટકને રાજા ભુરાજ, ભૂયડ અગર ભુવડ (એટલે કે ભૂપતિ) ગુજરાતમાં રાજ કરતા હતા અને જયશેખરને નાશ કર્યો અને ત્યાર બાદ કદિત્ય, ચંદ્રાદિત્ય, સોમાદિત્ય અને છેવટે ભુવનાદિત્ય જે રાજીને બાપ હતા તે કલ્યાણની ગાદીએ આવ્યું. મી. ફાર્બસ મી. એલફીનસ્ટન વિગેરેએ આ કલ્યાણને દક્ષિણ ચૌલુકાની રાજધાની કલ્યાણ માનેલ છે અને હું પણ અમુક વખત એમ માનતે. તેના આધારમાં નીચેની બીનાઓ આપી શકાય તેમ છેઃ (૧) દક્ષિણનું કલ્યાણ આઠ સદી સુધી ચૌલુક્યની રાજધાની હતી અને કનોજમાં આવું ગામ મળી આવતું નથી. ( ૨ ) દક્ષિણના ચૌલુક્યોના લેખોમાં ગુજરાત જિત્યાનું લખે છે–( ૩ ) ચૌલુકય રાજા વિજયરાજના શ. સ. ૩૯૪ ઈ. સ. ૪૭૨-૭૩ ના તામ્રપત્રમાં લખ્યું છે કે તે ભરૂચના પ્રદેશને માલિક હતું. પરંતુ બીજા મતનાં પ્રમાણ વધુ સબળ છે: (૧) દક્ષિણના રાજાઓ ચાલુય, ચલુણ્ય, ચલિકય અગર ચકય લખે છે, જ્યારે ગુજરાતમાં ચૌલુકય લખે છે. પાટણુ વંશને સ્થાપક દક્ષિમાંથી આવ્યો હોત તે પિતાને લય લખત. (૨) દક્ષિણ ચૌલુકાના કુલદેવતા વિષ્ણુ છે For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy