SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir राष्ट्रकूट राजा ध्रुव ३ जानुं भरूचनुं दानपत्र માહ સામંતને અધિપતિ શ્રી ધૃવરાજ દેવ ધારાવર્ષ જેણે મહાશબ્દની પ્રાપ્તિ કરી હતી તે રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામ, આયુક્તક, નિયુક્તક, આધિકારિક, વાસાપક, મહત્તર આદિને તેમના સંબંધ અનુસાર આ શાસન જાહેર કરે છેઃ- તમને જાહેર થાઓ કે આ લોક અને પરલેકમાં મારા માતા પિતાના અને મારા યશની વૃદ્ધિ અર્થે મેં આપ્યું છેઃ| ( ૪૪ ) એક ધનવાન અને વસ્તીવાળા વિષયમાં, ભદ્રપલીમાં અવર્યુ-( વેદ ) સબ્રહ્મચારી, જનને સુખ આપનાર શ્રીદા નામનો પ્રસિદ્ધ બ્રાહાણુ હતું, જે વારંવાર રાંધેલું અન્ન આદિ દાન દેતા, તેથી અર્થિજનને ઉદર પિષણ માટે દુકાળમાં પણ ચિંતા હતી નહીં. ( ૫ ) તેણે ધવરાજ દેવ પાસેથી 2ન્ના ગામ પ્રાપ્ત કરી, સર્વ સજજનેના શ્રેય માટે તેણે સત્ર સ્થાપ્યું. તેના ગૃહમાં સહસ્ત્ર બ્રાહ્મણે અને રાજવંશી જનો નિત્ય ભજન કરતા. તેને પુત્ર નેત્રય સત્રનો અધિપતિ હત– તેના લાક્ષાયણ ગોત્રના, જેજિભા નામના પુત્રને, કર્માન્તપુર સાથે જોડાએલાં ૧૧૬ ગામ મધ્યેનું પારાહણક ગામ આપ્યું છે. તેની સીમા:–પૂર્વે કડીરવલ્લકા; દક્ષિણે ના આહારમાંનું ખૌરાછક ગામઃ અને જેણુન્ધા ગામઃ પશ્ચિમે મેટ્ટક નામવાળું બ્રાહમણોનું ધામઃ ઉત્તરે મેઈન વાસકગામ. ઉપર કહેલી સીમાવાળું આ ગામ ભક્તિથી (શ્રદ્ધાથી ) ઉદ્વેગ સહિત, ઉપરિકરસહિત, સીમાપત વૃક્ષની હાર સહિત, દશ અપરાધનાં કાર્યોનો નિર્ણય અને દડની સત્તા સહિત, ઉદભવતી વેઠના હક સહિત, સુવર્ણ અને અન્નમાંની આવક સહિત, સૈનિકોના પ્રવેશ મુક્ત, રાજપુરૂષના હસ્તપ્રક્ષેપણુમુક્ત, ભૂમિછિદ્રના ન્યાય અનુસાર, પૂર્વ દે અને દ્વિજોને કરેલાં દાન વર્જ કરી, પુત્ર, પૌત્રો અને વંશજોના, ચંદ્ર, સૂર્ય, સાગર, પૃથ્વી, નદીઓ અને પર્વતોના અસ્તિત્વ કાળસુધી ઉપગ માટે શક નૃપના સમય પછી સંવત ૭૮૯, જેષ્ઠ, અમાસને સૂર્યગ્રહણ સમયે ભગુકચ્છમાં, નર્મદા નદીમાં, મૂલસ્થાન તીર્થમાં ૨નાન કરી પૂર્વોક્ત સત્રના નિભાવ માટે, બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર આદી વિધિ અનુષ્ઠાન માટે પાણીના અર્ધથી આપ્યું છે, જેથી કોઈ પણ પ્રતિબંધ કરશે નહીં ... .. . . .. ... . (૫૮) યુદ્ધમાં શત્રુઓને પરાજય કરનાર ધારાવર્ષના અનુજ, શ્રી શુભતુંગના પુત્ર શ્રી ગવિદરાજે તેના ભાઈનું રાજ્ય અચલ કર્યું. ( ૫ ) જેના કોઇ અનલની પહોળી અને ચટુલ જવાળા, ગગનમાં સ્થાન કરતા બ્રહ્મઆદિ દેએ ગજ અને અશ્વથી પૂર્ણ અરિસેના ભસ્મ કરી સંતોષ ન પામવાથી વિશ્વમાં પ્રસ૨વા આતુર છે તેવી જોઈ, તે ( ગોવિંદરાજ ) નિરૂપમથી તેને, દૂતક આ દાનમાં થયેલ હતો. અને મહાસાંધિવિગ્રહક શ્રી કલ્યાણથી આ લખાયું છે. આ મારા શ્રી અકાલના પુત્ર શ્રી પ્રવરાજ દેવના સ્વહસ્ત છે. For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy