SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પરિણતિ સુધારવાની આ ચાવી, આશ્રવને સંવર બનાવો રીતે ? વળી ‘જ્ઞાન નિરાકાર નિર્વિષયક હોઇ શકે છે’ એ સાબિત શી રીતે કરશો ? જે તર્ક લગાવશો, એ સાકાર જ્ઞાનરૂપ જ રહેવાનો; અને તર્ક માટે (૨) પરિણતિપર ભાર મૂકવાનું બીજું કારણ એ છે કે, જ્ઞાનનો ઉદ્દેશ મોક્ષ છે, તે મોક્ષશું છે ? આત્માનો અત્યંત વિશુદ્ધ પરિણામ યાને ૮ દૃષ્ટાન્ત શોધશો, તો કોઇ નિરાકાર નિર્વિષયક જ્ઞાનકર્મના ક્ષયથી પ્રગટ થતો આત્માનો સહજ શુદ્ધ દષ્ટાન્તરૂપે મળરો જ નહિ. ત્યારે તર્ક નિષ્ફળ જતાં નિરાકારતા જેવા અતીન્દ્રિય પદાર્થને પ્રત્યક્ષ જોનાર તરીકે સર્વજ્ઞની જરૂર પડવાની. પછી સર્વજ્ઞ વિના ક્યાં ચાલ્યું ? તાત્પર્ય, સર્વજ્ઞ જ મોક્ષ અને મોક્ષસાધક અતીન્દ્રિય ભાવોને પ્રત્યક્ષ જોઇ શકે, ને જગતને બતાવી શકે. એમનો વિરોધ કરવો, એમને ન માનવા, એ આત્માની અસત્પરિણતિ છે. ને અસત્પરિણતિવાળો બોધ સુંદર હોઈ જ ન શકે. ત્યાં બોધ સાચો હોય, તેટલામાત્રથી સુંદર ન કહેવાય. પૂર્વે કહ્યું હતું તેમ, ચોરને અમુક માણસ પૈસાકાર છે એવું જાણવા મળ્યું, એ જ્ઞાન સાચુ હોવા છતાં, એની અંતરની પરિણતિ ચોરવાની છે, અસત્ પરિણતિ છે, તો એવી અસત્ પરિણતિવાળા જ્ઞાનના સાચાપણાને શું કરવાનું ? એ જ્ઞાન અસુંદર જ કહેવાય. માટે જ્ઞાનની સુંદરતાનો આધાર અંતરાત્માની પરિણતિ ઉપર છે. પાયામાં પરિણતિ સુધરવી જોઇએ. જો પરિણતિ બગડેલી છે, મલિન છે, તો એકલા જ્ઞાનપ્રકાશને શું કરવાનો ? હવે જો પૂછો, – પ્ર. - પરિણતિપર કેમ ભાર મૂકો છો ? ઉ. – પરિણતિપર ભાર મુક્વામાં બેકારણ છે. (૧) પરિણતિ નિર્મળ હોય, તો થોડું પણ જ્ઞાન તારણહાર છે, જેમકે માષતુષ મુનિને માત્ર પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું જ્ઞાન. ત્યારે જો પરિણતિ મેલી છે, તો ઘણું પણ જ્ઞાન મારણહાર છે, જેમકે અભવી-દુર્લવીને નવ પૂર્વ સુધીનું જ્ઞાન. પરિણતિપર ભાર મૂકવાનું આ એક કારણ. 77 સ્વભાવ. એથી હવે સમજાય એવું છે કે, આ અત્યંત નિર્મળ પરિણામ પ્રગટ કરવો હોય; તો સાધનાના પાયામાંથી અંતરાત્માના પરિણામ થોડા થોડા પણ નિર્મળ કરતા ચાલવું જોઇએ. તે અશુદ્ધ અસત્ પરિણામને દબાવતા જવાથી જ શક્ય બને. દા.ત. મોક્ષનું એક સ્વરૂપ અનાહારિપણાની પરિણતિજો લાવવી હોય, તો આહારસંજ્ઞાના કાપની નિર્મળ પરિણતિ ઊભી કરવી જ જોઇએ. એકલું જ્ઞાન તો હોય કે ‘આત્માનો સ્વભાવ અનાહારિપણાનો છે’ પરંતુ દિવસમાં ઘણીવાર ખાતો રહેતો હોય, ઘી કેળાં ને રસગુલ્લા વગેરે ઉડાવતો રહેતો હોય, તો ત્યાં ખાનપાનની પરિણતિને આહારસંજ્ઞાક્યાં દબાયા? નિરંકુશ યથેચ્છચારિતા રહી. ખરેખર તો આહારસંજ્ઞા પર સૂગ રહેવી જોઇએ. જો એ સૂગ હોય તો એટલી નિર્મળ પરિણતિ છે. ધર્માત્માને બિમારીવશ ચૌદશે ખાવું પડતું હોય, તો એને ખેઠ હોય. ખાવાપ્રત્યે સૂગ હોય. ખાય છે એટલે ખાવાની અસત્ પરિણતિ તો ખરી, ને એ આશ્રવ છે, પરંતુ ત્યાં જો ખાવાપર સૂગ તો એ સંવરની સત્ પરિણતિ છે. છે પરિણતિ સુધારવાની આ ચાવી, આશ્રવને સંવર બનાવો. પૈસા એ આશ્રવ છે, કેમકે એનાપર રાગ થાય છે, મૂર્છા થાય છે, સુખ વિલાસ ભોગવવાના કોડ થાય છે. પરંતુ જો ત્યાં આ વિચાર આવે કે ‘આ પૈસા મારેમાટે ખતરનાક છે, કેમકે એના તીવ્ર રાગમમત્વથી ભવોની પરંપરા ચાલે !' ને અંતરમાં પૈસાપર ઘૃણા થાય છે, તો એ સંવરની પરિણતિ છે. અથવા એમ થાય કે ‘આનાથી પ્રભુભક્તિ
SR No.020954
Book TitleYogdrushti Samucchay Part 03
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year2000
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size40 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy