________________
શબ્દોના પગલે પગલે ચાલવાનું કામ કર્યું છે.
પૂજ્યપાદ ભવોદધિત્રાતા અનંતોપકારી ગુરુદેવશ્રી - આ. કે. શ્રી. વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ, પૂજ્યપાદ સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ શ્રી જયઘોષસૂરીશ્વરજી મહારાજ, પૂજ્યપાદ આગમા સહજાનંદી આ.કે.શ્રી.વિ. ધર્મજિત સૂરીશ્વરજી મહારાજ, પૂજ્યપાદ દક્ષિણ મહારાષ્ટ્ર પ્રભાવક સૂરિમંત્ર સમારાધક આ.દે.શ્રી. વિ. જયશેખરસૂરીશ્વરજી મહારાજ તથા પૂજ્યપાદ વિશિષ્ટ પ્રતિભાસંપન્ન વિદ્વર્ય પંન્યાસપ્રવર શ્રી અભયશેખર વિજયજી ગણિવર મહારાજ. આ સુગૃહીત નામધેય ગુરુપરંપરા જ આ ગ્રંથના ઉપાદેયઅંશના યશભાગી છે.
જે કંઈ અશુદ્ધિ, જિનાજ્ઞાબાહ્ય, ગ્રંથકારઆશયને અનનુરૂપ તથા પ્રવચન-વાચનાદાતા પૂજ્યપાદ ગુરુદેવશ્રીના અભિપ્રાય સાથે સંગત નહીં થતું સંપાદનક્ષેત્રે કે વિવેચન-અનુવાદક્ષેત્રે થયું હોય, તે બધામાં મારી મતિમંદતા અને મારો પ્રમાદ કારણભૂત છે. અને તે માટે હું હાર્દિક ક્ષમાયાચું
શ્રી માટુંગા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપગચ્છ સંઘે શાનદ્રવ્યનો સદુપયોગ કરી આ ગ્રંથપ્રકાશનમાં પૂર્ણ અર્થસહયોગ આપ્યો છે, તેથી ધન્યવાદપાત્ર છે.
હકાર પ્રિન્ટર્સના હેમલભાઇ સુંદર અને શીધ્ર પ્રિન્ટીંગ માટે ધન્યવાદ પાત્ર છે. મહાસુદ ૧૩, સંવત ૨૦૫૬, સુરિ પ્રેમ દીક્ષા શતાબ્દિવર્ષ
અજિતશેખરવિજય જવાહરનગર – ગોરેગાંવ
VIII