________________
કુતર્કનો છેડો સ્વભાવવાદ
હત્યાપઃ વત્તેયન્તીતિ સ્વમાવ ડ્વામિતિ અસાત્તિ સ્વમાવઃ તત્ત્વત:-પરમાર્થેન ના વૃોષો-ન છદ્મસ્થવિષયઃ ન્યાયાલૢ-ચાયેન પપ્રસિદ્રેના મૂિત સન્નિત્યાહ-અન્યથા-પ્રાયાન્તરેળ, અન્યન-પ્રતિવાવિના, પિત: સન્નિતિ । તથાદિ-અથ વસ્તુસ્વમાવૈત્તર વા—મિતિ સર્વત્રેવ તથા(ન) તત્તત્સિદ્ધો વરું પાર્યતે । થમ્? યેન તવથંઝિયાળસ્વમાવસ્તુન તાં રોતિ ન પુન: ક્ષળિતયા, તસ્યાઃ સર્વમાવેષ્લેવામ્યુપામાત્, યતઃ તશ્ચિત્તસ્થંયિામાવપ્રસન્નાત્તન્નિવધનાવિશેષાવિતિ વર્માનઃ વોયત્ય—ન્નિધો તથાડડવો ~નિસન્નિધી તથા સ્વમાવત્વાયેવ સ્વમાવવૈચિત્ર્યાન્નાત્રાપિ તો વાધામન્તરેગાડવો વ સ્વમાવો, દૃષ્ટાન્તમાત્રસ્ય સર્વત્ર સુતમત્વાત્ । તવેવમसमञ्जसकारी कुतर्क इत्यैदम्पर्यम् ॥९२॥ કુતર્કનો છેડો સ્વભાવવાદ
।
વળી,
ગાથાર્થ : આ કુતર્ક પણ છેવટે ‘સ્વભાવ’ નામના ઉત્તર ( =જવાબ) પર જઈ અટકે છે. વળી, ન્યાયવડે અન્ય-પ્રતિવાદીવડે ભિન્ન રીતે કલ્પાયેલો આ સ્વભાવ પણ છદ્મસ્થનો વિષય બની શકે તેમ નથી.
ટીકાર્ય : આ કુતર્ક ‘સ્વભાવ' જવાબે અટકે છે, કેમ કે (ક્ષણિકવાદી બૌદ્ધોનું) વચન છે કે ‘વસ્તુસ્વભાવોદ્વારા જવાબ આપવો’ આમ ‘અગ્નિ બાળે છે, અને પાણી ભીંજવે છે, કેમકે તેઓનો તેવો સ્વભાવ છે.’ આ સ્વભાવ પણ પરમાર્થથી છદ્મસ્થનો વિષય નથી, પરમત પ્રસિદ્ધ ન્યાયથી, (કેવા પ્રકારનો કલ્પાયેલો આ સ્વભાવ? તે બતાવે છે – ) પ્રતિવાદી દ્વારા અન્ય પ્રકારે કલ્પાયેલો આ સ્વભાવ. (અર્થાત્ પરમત માન્ય ન્યાયથી પરવાઠીવડે અન્યપ્રકારે કલ્પાયેલો આ સ્વભાવ છદ્મસ્થના જ્ઞાનનો વિષય નથી.) તે આ પ્રમાણે – ‘વસ્તુસ્વભાવો દ્વારા ઉત્તર કહેવો’ એમ હોય, તો બધે જ તે રીતે- સ્વભાવને
125
આગળ કરી તે તેની સિદ્ધિમાં કહેવું શક્ય છે. કેવી રીતે ? તે બતાવે છે - જેથી તે અર્થક્રિયા કરવાનો સ્વભાવ છે, તેથી તે અર્થક્રિયા કરે છે, નહિ કે ક્ષણિકતાથી, કેમકે ક્ષણિક્તાનો તો બધા જ ભાવોમાં સ્વીકાર કર્યો હોવાથી કોઇ પણ વસ્તુમાંથી તે-તે અર્થક્રિયા થવાનો પ્રસંગ છે. (અર્થાત્ ગમે તે વસ્તુ ગમે તે અર્થક્રિયા કરવાની આપત્તિ છે.) આમ ( સ્વભાવ જ કારણ ગણાવાથી) અગ્નિ તથા સ્વભાવથી પાણીની સંનિધિમાં ભીંજવે છે અને પાણી તથા સ્વભાવથી અગ્નિની સંનિધિમાં બાળે છે. કેમકે સ્વાભાવો વિચિત્ર હોય છે. (એમ પણ કહી શકાશે. ) | અહીં લોકબાધા સિવાય (બીજો કોઇ દોષ આપી શકાય નહીં.) અથવા બીજો સ્વભાવ પણ કલ્પી શકાય કેમકે દષ્ટાંતમાત્ર તો સર્વત્ર સુલભ છે. આમ કુતર્ક અસમંજસકારી છે. (કાર્ય-કારણભાવમાં અવ્યવસ્થા કરનારો છે.) આ તાત્પર્ય છે. ૯ ૨
વિવેચનઃ આ કુતર્ક પણ ‘સ્વભાવ જ એવો છે’ અંતે એવા ઉત્તમ પર જ અટકે છે, જેમકે ‘અગ્નિ બાળે છે અને પાણી ભીંજવે છે’ એમાં તે-તેનો તેવો સ્વભાવ જ કારણભૂત છે. પણ બીજાઓ અંતે જ્યારે સ્વભાવનો આશરો લે છે, ત્યારે પણ તેઓ જે સ્વભાવ ક૨ે છે, તે ન્યાયસંગત નથી, કેમકે આ સ્વભાવ પણ હકીકતમાં છદ્મસ્થનો વિષય બની શકતો નથી. જૂઓ - વસ્તુના તે-તે સ્વભાવને જ આગળ કરી ઉત્તર આપવાનો હોય, તોતોતે-તેકાર્યકારણભાવ આદિની સિદ્ધિ ‘બસ, આ તો તેનો તેવો સ્વભાવ છે, માટે આમ થયું’ આ એક જ ઉત્તરથી થઈ શકે. અને સર્વત્ર આ એક જ ઉત્તર માસ્ટર કીનું કામ કરે.
‘તો ભલેને એ રીતે ઉત્તર અપાય વાંધો શો છે ?' એવી શંકાનું સમાધાન એ છે કે તો સર્વત્ર વસ્તુનો તે-તે અર્થક્રિયા કરવાનો સ્વભાવ હોવાથી વસ્તુતે-તે કાર્ય કરે છે એમ કહેવારો. હવે જોવાની