________________
યોગદૃષ્ટિ વ્યાખ્યાનો ભાગ-૩
આપમતિના અસઅભિનિવેશ ઊભા જ ન રહે. બીજો સદ્ અભિનિવેશ શીલનો. ટીકાકારે અહીં શીલનો અર્થ લખ્યો ‘પરદ્રોહ વિરતિ’. પૂછો, –
પ્ર. અહીં ‘શીલ એટલે ‘બ્રહ્મચર્ય - સદાચાર’ ન લેતાં ‘પરદ્રોહવિરતિ’ કેમ લીધી ?
આગ્રહ, એવો શાસ્ત્રાનુસારે હિતની જ વાતો કરી, પરદ્રોહ ટાળવાનો આગ્રહ. મહાવીર ભગવાનનો જીવ મરીચિ સાધુતાથી પતિત થઈ સંન્યાસી થયેલા, છતાં એમણે આ પરદ્રોહત્યાગનો બીજો અભિનિવેશ રાખેલો. તેથી લોક જ્યારે એમને પૂછતા કે તમારો આ સાધુથી નિરાળો વેશ-નિરાળો પંથ કેમ ? તો એ કહેતા કે ‘જુઓ ભાઈ ! હું તો પતિત છું. તેથી આ કુવેશ કર્યો છે. બાકી માર્ગ તો આદીશ્વર ભગવાન જે રત્નત્રયીનો બતાવે છે. એ જ સાચો માર્ગ છે. કેમ આમ કહેતા ? તો કે આપણાપર વિશ્વાસ મૂકી પૂછે, એને વીતરાગપ્રભુના ઘરનું સાચું જ બતાવાય, જેથી વિશ્વાસભંગ ન થાય, પરનો દ્રોહ કરવાનું ન થાય.
ઉ. - અહીં કુતર્ક ટાળવાનું પ્રસ્તુત છે, એ માટે જેમ શ્રુતનો યાને સર્વજ્ઞવચનનો અભિનિવેશ જરૂરી છે, એમ એ અભિનિવેશ આવ્યા પછી બીજાનો દ્રોહ ન કરવાનું જરૂરી છે. અત્યાર સુધી આ શ્રુત-જિનાગમ ન હોતા મળ્યા, ત્યાં સુધી અજ્ઞાનતાવશ પોતાની જેમકુટુંબકબીલા વગેરેને ય એના આત્માના અહિતના રવાડે ચડાવી દેતા હતા, અને એમાં આપણા ભરોસે રહેલ એમનો માટે જ સાધુ- સંન્યાસી શિષ્યની બરાબર વિશ્વાસઘાત થતો. પણ હવે આપણને જિનાગમ-સંભાળ રાખે, જેથી એ આત્માના અહિતમાં ન પડે. શિષ્યે સંસાર છોડી ગુરુને જીવન સોપ્યું, આવા ગુરુના વિશ્વાસમાં આવેલાને ગુરુ જો શાસ્ત્રાનુસાર એને આત્મહિત ન આપ્યા કરે, તો ગુરુ શિષ્યનો દ્રોહ કરનાર થાય, શાસ્ત્ર એમને કસાઈ કરતાં ભૂડા કહ્યા છે. કસાઈ વિશ્વાસે રહેલા પશુની માત્ર એક જન્મમાં કત્લ કરે છે, ત્યારે શિષ્યને ઊંધે રવાડે ચડાવનાર યા ચડતાને ન રોકનાર ગુરુ એની જનમ જનમ કતલ કરનારા બને છે. સાધુ સંન્યાસીને બીજી રીતે પરદ્રોહત્યાગ આ, કે પોતે શાસ્ત્રનો આગ્રહી તો બન્યો, પરંતુ તદનુસાર પોતાનું જીવન ન બનાવે તો જ્ઞાનીનો અને લોકનો દ્રોહ કરનારો બને. કેમકે જ્ઞાનીના વચનથી વિરૂદ્ધ વર્તે છે.
એમ, લોકોમાં વિશ્વાસ છે, કે આ સાધુ છે, અને તેથી જ એના આહાર-વસ્ત્ર-મકાન વગેરેથી ભક્તિ- સન્માન કરે છે. પણ સાધુમાં સાધ્વાચાર જો નથી, તો લોનો એણે દ્રોહ કર્યો ગણાય.
સારાંશ, શાસ્ત્રના આગ્રહની જેમ શીલનો આગ્રહ જોઇએ, એ શીલ એટલે શાસ્ત્રથી વિરુદ્ધ
112
વાણી મળી, તો પૂર્વની જેમ એમને અહિતના રવાડે ચડાવવાનું કેમ કરાય ? એમાં તો પરદ્રોહ થાય, પરનો વિશ્વાસઘાત થાય. એટલે હવે તો એમને વાત્સલ્યભાવે હિતશિક્ષા આપી અહિતના ત્યાગ અને હિતના આદરના માર્ગે ચડાવવા જોઇએ.
એવી જ ફરજ મુક્તિવાદી સંન્યાસીની ય છે. એના સંપર્કમાં લોકો આવે છે, એ ભરોસે આવે છે, કે આ અમને કલ્યાણનો રસ્તો બતાવશે. હવે જો એને સમ્યક્ શાસ્ત્ર નથી મળ્યા, એટલે એ અજ્ઞાનતાથી હિતનાં નામે અહિતનું બતાવે. તો એ પણ પરદ્રોહ કરનારો થાય. ત્યારે જો એને શ્રુતજિનાગમ મળી ગયા છે, અને એનો એને અભિનિવેશ– ગાઢ મમત્વ લાગી ગયું છે, તો સાથે આ પણ આગ્રહ હોય, કે હવે પણ સામાને જરી પુરાણી અજ્ઞાનતાના ઘરની અહિતની વાતો બતાવતો જ રહી એમનો દ્રોહ કરવાનું ન જ રાખું. હવે તો જિનાગમની જ – હિતની વાતો કરવાનું રાખી એમનો દ્રોહ ન જ થાય એવું કરું. જેવો શાસ્ત્રનો