SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨ પરિગ્રહથી દૂર રહેવું જોઈએ, અને શામાં કહ્યા મુજબ સાધુઓના પાંચ મહાવ્રતનું પાલન કરવામાં પિતાનું જીવન વિતાવવું જોઈએ. જૈન સાધુઓએ પાળવાના આ મુખ્ય મુખ્ય નિયમ છે. હવે હું આ નિયમથી દેરાવાસી સાધુઓના જીવનની તુલના કરીશ. દેરાવાસી સાધુઓના જીવનની હકીકત. દેરાવાસી સાધુઓના મુખ્ય ત્રણ ભાગ છે. યતિ, શ્રી પૂજ્યજી અને સંવેગી. આ ત્રણ વિભાગો જેન સૂત્રમાં કયાંય કહેવામાં આવ્યા નથી અને સંવેગી અને શ્રીપૂજ્ય. એ શબ્દો જેન કે બૌદ્ધ કઈ પણ સૂત્રમાં બતાવ્યા નથી, એટલા ઉપરથી તેઓ હમણાનાજ (અર્વાચીન) છે, એમ નક્કી થાય છે. હવે જ્યારે આ દેરાવાસી સાધુઓમાં ત્રણ વિભાગ છે, ત્યારે આ ત્રણે વિભાગને માટે આચારના જુદા જુદા નિયમ હોય તે સ્વાભાવિક જ છે. દેરાવાસી ભાઈઓ પિતાના સાધુઓ (સવેગીઓ) ની પ્રતિષ્ઠા (માનપાન) વધારે રાખે છે. આ સંગીઓ (સાધુઓ) ના આચાર (રીત-ભાત) ની પરીક્ષા કરવાથી માલુમ પડે છે કે, મહાવીરના બતાવેલ કાયદાઓથી તેઓ બહુજ પતિત થઈ ગયા છે. તેઓએ પોતાના વસ્ત્રોના રંગમાં મોટો ફેરફાર કરી નાખે છે. જૈન ધર્મના કાયદા વિરૂદ્ધ તેઓ પીળાં લુગડાં પહેરે છે અને આવી રીતના બીજા ફેરફાર પણ કરી નાખ્યા છે. તેમાંથી કેટલાક પૈસાની લેણ-દેણ પણ કરે છે. આ વાત યતિ અને શ્રી પૂને પણ લાગુ પડે છે. યતિઓ For Private and Personal Use Only
SR No.020753
Book TitleSthanakvasi Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesrichand Bhandari
PublisherSthanakvasi Jain Karyalay
Publication Year1938
Total Pages123
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy