________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુજરાતી આવૃત્તિની પ્રસ્તાવના.
લગભગ ત્રણેક વર્ષ પહેલાં આ હિંદી પુસ્તકને ગુજરાતીમાં છપાવી મારા “સ્થાનક્વાસી જૈન” પેપરના ગ્રાહકોને ભેટ તરીકે આપવાનો વિચાર થયે હતો, પણ અમુક સંગને લઈને તે વખતે તે કામ થઈ ન શકર્યું. આજે આ “સ્થાનક્વાસી જૈન ધર્મને ઈતિહાસ” ગુજરાતીમાં છપાવી મારા ગ્રાહકેને ભેટ આપતાં અત્યંત આનંદ થાય છે.
આ પુસ્તક સને ૧૯૧૧ માં દેવાસવાળા શ્રીયુત કેસરીચંદછ ભંડારીએ અંગ્રેજીમાં “Notes on The Sthanakvasi Janis” ના નામથી છપાવી બહાર પાડયું હતું. ત્યારબાદ તેમના સુપુત્રએ આ પુસ્તક હિંદીમાં બહાર પાડયું હતું. આ હિંદી પુસ્તક આજથી ત્રણ વર્ષ પહેલાં મારા વાંચવામાં આવ્યું, ત્યારથી જ તે પુસ્તકને ગુજરાતીમાં છપાવવાની મારી ઈચ્છા હતી.
મારી આ ઈચ્છા ભંડારીજીના સુપુત્રએ પાર પાડી. ઈંદરમાં તેઓનું “સરદાર પ્રિન્ટીંગ પ્રેસ” છે. તેઓશ્રીની પાસે હિંદીમાંથી ગુજરાતી કરી આ પુસ્તક છાપવાની માગણી કરતાં, તેઓએ તરતજ તે મુજબ કરવાની મને રજા આપી. એટલું જ નહિ, પણ ગુજરાતી ભાષાંતર તેમને મોકલતાં, તેઓએ પિતાના કિમતી વખતને ભેગ આપી, તે ભાષાતર જોઈ ગયા, અને સાથે જ પિતાને અભિપ્રાય પણ મેક કે–“ભાષાંતર બહુજ સારું થયું છે.” આ પુસ્તક
For Private and Personal Use Only