________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુક્રનીતિ.
प्रतिमा सैकती पैष्टी लेख्या लेप्या च मृण्मयी । वाक्षी पाषाणधातूत्था स्थिरा ज्ञेया यथोत्तरा ॥ ७२ ॥
પ્રતિમા રેતીની, લોટની, ચિત્રની, ગેરૂ વગેરેના લેપની, માટીની, લાકડાની, પાષાણુની, અને ઘાતુની બને છે, તેમાં પ્રતિમાને ઉત્તરોત્તર દૃઢ જાણવી. ૭૨
यथोक्तावयवैः पूर्णा पुण्यदा सुमनोहरा।
अन्यथायुर्धनहरा नियं दुःखविवर्द्धिनी ॥ ७३ ॥ શાસ્ત્રમાં જણુવ્યા પ્રમાણે પૂર્ણ અવયવવાળી પ્રતિમા શુભ ફળ આપે છે. અને મનને પ્રિય લાગે છે પર તુ શાસ્ત્ર પ્રમાણે ન હોય તે નિત્ય આયુષ્ય તથા ધનનો નાશ કરે છે અને દુઃખમાં વધારો કરે છે. ૭૩
देवानां प्रतिविम्बानि कुर्याच्छ्रेयस्कराणि च । स्वाणि मानवादीनामस्वर्याण्यशुभानि च ॥ ७४ ॥ દેવતાઓની કલ્યાણકારી મૂર્તિ બનાવવી; કારણ કે કલ્યાણકારી મૂર્તિ મનુષાદિકને સ્વર્ગ સુખ આપે છે, અને અશુભ ભૂતો સ્વર્ગ આપતી નથી. ૭૪
मानतो नाधिकं हीनं तद्विम्बं रम्यमुच्यते ॥ ७९ ॥
જે મૂર્તિ પ્રમાણમાં નાની ન હોય તેમ બહુ મેટી ન હોય પરંતુ પ્રમાણસર હેય તે મૂર્તિ સુંદર કહેવાય છે. ૭૫
अपि श्रेयस्करं नृणां देवावम्बमलक्षणम् । सलक्षणंमर्त्यविम्ब नाहे श्रेयस्करं सदा ॥ ७६ ॥ દેવતાઓની મૂર્તિ, કહેલાં લક્ષણ રહિત હોય તો પણ તે મનુષ્યનું કલ્યાણ કરે છે; પરંતુ સંપૂર્ણ લક્ષણવાળી મનુષ્યની મૂર્તિ સદા મનુષ્યનું શ્રેય કરતી નથી. ૭૬
सात्त्विकी राजसी देवप्रतिमा तामसी त्रिधा। विष्ण्वादीनां च या यत्र योग्या पूज्या तु तादृशी ॥ ७७॥
દેવની મૂર્તિ ત્રણ પ્રકારની છે: સાત્વિકી, રાજસી અને તામસી. જ્યાં જે મૂર્તિ યોગ્ય લાગે ત્યાં આગળ વિષ્ણુ વગેરેની મૂર્તિનું પૂજન કરવું. ૭૭
મૂર્તિ વિચાર. • योगमुद्रान्विता स्वस्था वराभयकरान्विता । देवेन्द्रादिस्तुतनुता सात्त्विकी सा प्रकीर्तिता ॥ ७८ ॥
For Private And Personal Use Only