SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુકનીતિ. નહીં, સાવચેત થઈને ભૂમિ ઉપર શયન કરવું. આ પ્રમાણે ત્રણ દિવસે કાઢવા. ચોથે દિવસે પ્રભાતમાં સૂર્યનારાયણને ઉદય થયા પછી શરીર ઉપર પહેરેલાં વસ્ત્ર સહિત સ્નાન કરવું. ૨૩-૨૪ विलोक्य भर्तृवदनं शुद्धा भवति धर्मतः । कृतशौचा पुनः कर्म पूर्ववच्च समाचरेत् ॥ २५ ॥ द्विजस्त्रीणामयं धर्मः प्रायोऽन्यासामीप्यते । कृषिपण्यादिपुंकृत्ये भवेयुस्ताः प्रसाधिकाः ॥ २६ ॥ સ્નાન કર્યા પછી સ્ત્રી ઘર્મપ્રમાણે પ્રાણપતિનાં મુખનાં દર્શન કરી પવિત્ર થાય છે. આ પ્રમાણે પવિત્ર થયા પછી ફરી શુદ્ધ જળથી નાહાવું, અને પછી પ્રથમની પેઠે ઘરનાં સઘળાં કામકાજ કરવાં. આ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, અને વૈશ્યની સ્ત્રિયોનો છે, ઘણું કરીને શૂદ્રની સ્રિોએ પણ આ ઘર્મ પાળવો. સ્ત્રિઓએ ઘરકામ ઉપરાંત ખેતી, વ્યાપાર વગેરે પુરૂષના કામમાં સહાય થવું. ૨૬ सङ्गीतैर्मधुरालापैः स्वायत्तस्तु पतिर्यथा । भवेत्तथाऽऽचरेयुर्वै मायाभिः कामकेलिभिः ॥ २७ ॥ સંગીત, મધુર ભાષણ, પ્રેમ અને સુરતકીડા વગેરે જે જે ઉપાયોથી પિતાને પ્રાણપતિ પ્રસન્ન થાય તેવા ઉપાયો વડે ચિએ પતિને વશ કરે. ૨૭ मृते भतरि सङ्गच्छेद्भर्तुर्वा पालयेद्वतम् । परवेश्मरुचिर्न स्याब्रह्मचर्ये स्थिता सती ॥ २८ ॥ પતિ મરણ પામ્યા પછી ઢિયે તેની પાછળ સતી થવું અથવા ગૃહસ્થવ્રત પાળવું હોય તો પોતાના ઘરમાં રહી બ્રહ્મચર્યવ્રત પાળવું-પરંતુ બીજાના ઘરમાં જવાની ઈચ્છા કરવી નહીં. ૨૮ मण्डनं वर्जयेन्नित्यं तथा प्रोषितभर्तृका।। देवताराधनपरा तिष्ठद्भर्तृहिते रता । धारयेन्मङ्गलार्थानि किञ्चिदाभरणानि च ॥ २९ ॥ જેને પતિ પરદેશ ગયે હોય તે સ્ત્રી પ્રષિતભર્તૃકા કહેવાય છે. તેણે સૌભાગ્ય માટે સાધારણ ઘરેણું પહેરવાં, પરંતુ ઝાઝાં ઘરેણું પહેરવાં નહીં. દેવની આરાધના કરવામાં અને પોતાના પતિનું હિત કરવાને તત્પર રહેવું. ૨૯ For Private And Personal Use Only
SR No.020728
Book TitleShukraniti
Original Sutra AuthorN/A
AuthorIccharam Suryaram Desai
PublisherIccharam Suryaram Desai
Publication Year1892
Total Pages433
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy