________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એને પકડવે તે જોઈએ જ. એનામાં કોઈ દૈવી શકિત હેવી જોઈએ કે જેથી એ ગુપ્તપણે અહીં આવે–જાય છે.” એમ વિચારી એની દૈવી શકિતનો નાશ કરવા પ્રમદવનમાં ઠેરઠેર શિવનિર્માલ્ય ( બિલ્વપત્ર) મુકાવ્યું અને મનમાં સંકલ્પ કરી એ બોલ્યો કે,
આ પ્રમદવનમાં જે કોઈ શિવનિર્માલ્યનું ઉલ્લંઘન કરી ચેરી કરવા આવે તેની અંતર્ધાનાદિ સર્વ શકિતઓ નષ્ટ થઈ જશે.' બન્યું પણ એમ જ. રોજના નિયમ પ્રમાણે પુષ્પદંત આવ્યો અને વચમાં પડેલા શિવનિર્માલ્ય તરફ દુર્લક્ષ કરી અહંકાર વડે વ્યાખ થઈ એ શિવનિર્માલ્યનું ઉલ્લંઘન કરીને અંદર પેઠો કે તરત જ તેની શકિત અને ગતિ બંને કંઠિત થઈ ગયાં. પછી તે પોતે શકિતહીન થઈ વિચારમાં પડ્યો કે, “અરે! મેં આજે એવી કોઈ મોટી ભૂલ કરી છે કે જેને લીધે મારી શકિત નષ્ટ થઈ છે!' એમ વિચારી તેણે આજુબાજુ જોયું, તે રસ્તામાં વેરેલું શિવનિર્માલ્ય એને જોવામાં આવ્યું. પછી એને ખાતરી થઈ કે,
આ શિવનિર્માલ્યની મેં અવગણના કરી, તેનું જ આ પરિણામ છે. એટલે જલદી પ્રસન્ન થનાર અને દયાના ભંડર શિવપરમાત્માની સ્તુતિ ક્યા વગર તેમની પ્રસન્નતા થશે નહિ.' આમ પિતાના મન સાથે નિશ્ચય કરી તેણે તે જ સ્થળે ઊભાં ઊભાં અનન્ય ભાવ વડે જે સ્તુતિ કરી; તે જ આ શિવમહિમ્ન. તેત્ર છે. . ગંધર્વરાજ પુછપદતે આ સ્વરચિત શિવમહિમ્ન સ્તોત્ર ગાઈને ભગવાન સદાશિવને પ્રસન્ન કર્યા હતા. તેથી સદાશિવની
For Private and Personal Use Only