________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેક સંપ્રદાયનું સંગમસ્થાન
૩૧ - ~- ~~ ~--- ----- - --
'पुराणन्यायमीमांसाधर्मशास्त्राङ्गमिश्रितः ।
वेदाः स्थानानि विद्यानां धर्मस्य च चतुर्दश' ॥ इति
ચાર વેદ, છ અંગ અને ચાર ઉપાંગ મળી ચૌદ વિદ્યાઓ જાણવી; ચાર ઉપવેદોને એમાં સ્થાન નથી; પરંતુ અહીં તો ઉપપુરાણોને પુરાણોમાં, વૈશેષિક શાસ્ત્રનો ન્યાયમાં, વેદાંતશાસ્ત્રનો મીમાંસામાં અને રામાયણ, મહાભારત તથા સાંખ્ય, પાતંજલ, પાશુપત, વૈષ્ણવ વગેરેને ધર્મશાસ્ત્રમાં સમાવેશ જાણી લેવો.
ઉપર ગણાવેલાં બધાં શાસ્ત્રો આસ્તિકો માટે છે. એ સિવાય માધ્યમિક, યોગાચાર, સત્રાંતિક, વૈભાષિક, ચાર્વાક અને દિગંબર એવાં છ શાસ્ત્રો–પ્રસ્થાન નાસ્તિકોનાં છે. આ નાસ્તિક—શાસ્ત્રો વેદબાહ્ય છે, જેથી આસ્તિકોએ સર્વને નિરુપયોગી જાણી લેવાં. હવે ઉપર્યુકત વેદાનુકૂળ શાસ્ત્રોનું એક પરમાત્મામાં જ કેવી રીતે પર્યવસાન થાય છે, તે જુઓ. પારાશર સ્મૃતિમાં કહ્યું છે કે:
'न कश्चिद्वेदकर्ता स्याद्वेदस्मर्ता चतुर्मुखः ।
वेदो नारायणः साक्षात्स्वयंभूरिति शुश्रुम ।।
વેદ સાક્ષાત નારાયણસ્વરૂપ છે, તેમ જ તે અનાદિ છે. તેમને કોઈ કર્તા નથી, પણ તેમનું સ્મરણ કરનાર ચતુર્મુખ બ્રહ્મા) છે. તે ચારે વેદોમાં કર્મ, ઉપાસના તથા જ્ઞાન, એ ત્રણ કાંડ મુખ્ય છે. જ્ઞાનકાંડ તે સ્પષ્ટપણે જીવ–બ્રહ્મની એકતાનો બોધ કરે છે;
જ્યારે કર્મકાંડ અને ઉપાસનાકાંડ અંત:કરણની શુદ્ધિ કરાવીને એકાગ્રતા દ્વારા અંતે જીવ—શિવની એકતાના જ્ઞાનમાં પરિણમે છે.
For Private and Personal Use Only