________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮
શ્રી શિવમહિમ્ર સ્તોત્ર
છે; અને જેટલા જેટલા જન્મેલા પદાર્થો છે, તે તે પોતાના જેવા અનેક પદાર્થોથી ભિન્ન હોઈ બીજા પદાર્થોથી જ ઉત્પન્ન થયેલા હોય છે, એવો અનુભવ છે. મતલબ કે આ સૃષ્ટિના કર્તા ઈશ્વર સિવાય બીજો કોઈ નથી, એ વાત સિદ્ધ જ થાય છે. એ પ્રમાણે અનુમાનના દોષનું નિવારણ કરી, બીજા એવા શંકિત દોષનું નિરસન ચોથા ચરણમાં કરેલું છે કે, હે પ્રભો! આપ તે સર્વે પ્રમાણ વડે સિદ્ધ જ છે; છતાં તમારા વિષે જે સંદેહ ધરે છે તે સર્વે મૂર્ખ જ છે. “યતો વા મન મૂતનિ जायन्ते। येन जातानि जीवन्ति । यत्प्रयन्त्यभिसंविशति । तद् બ્રહ્મ છે વળી આનન્દો ગ્રહ કૃતિ યજ્ઞાનાતુ–જે (સચ્ચિદાનંદપરમેશ્વર)થી આ ભૂત-પ્રાણી પદાર્થો ઉત્પન્ન થાય છે, જેને લીધે જન્મીને જીવે છે અને છેવટે જેના તરફ જાય છે ને જેમાં લય પામે છે, તે બ્રહ્મ જ છે, તેમ જ આનંદ બ્રહ્મ છે. એમ તેણે જાણ્ય' ઇત્યાદિ વચનેથી બ્રહ્મનું પ્રતિપાદન કરતી અનેક શ્રુતિઓ જ પરમાત્મા વિષે મુખ્ય પ્રમાણરૂપ છે, એટલે તર્ક પણ કૃતિને અનુકુળ થાય એવો જ કરવો જોઈએ; કેમ કે ઈશ્વરને શુતિના આધાર વગર અનુમાનનો વિષય કરી શકાતું નથી. મતલબ કે અનુમાન અથવા તર્ક સ્વતંત્રપણે ઈશ્વરને ઓળખવામાં સહાયક થઈ શકતાં નથી. માટે જ શ્રી શંકરાચાર્ય મહારાજે પણ કહ્યું છે કે, “અતિમતસ્તોડનુસંધીયતામ-વેદને અનુકૂળ થાય એવા જ તર્ક કરવા જોઈએ.’
સ.
સા.
For Private and Personal Use Only