________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્ગ ૧૪ મો. ] જાવડશાના ઉદ્ધારનું ચમત્કારિક વૃત્તાંત.
૫૦૯ માને પ્રાસાદમાં લઈ જશે. પછી વાસ્વામી, સંઘપતિ, તેની પતી અને મહાધરો ચૈત્યમાં પ્રવેશ કરી પૂર્વક સર્વત્ર વિસંધૂળપણું દૂર કરીને આખા ચૈત્યને પ્રમાજશે (શુદ્ધ કરશે ), પછી દુષ્ટ દેવતાઓના નાશને માટે વાસ્વામી ધ્યાન સમાધિપૂર્વક સર્વ ઠેકાણે વાસાક્ષત નાખીને શાંતિ કરશે.
હવે પ્રથમનો જે મિથ્યાત્વી કપદ યક્ષ હતો, તે કેટલાક અસુરો સહિત અનર્થ કરવાની ઇચ્છાએ કેપ કરીને પ્રથમની મૂર્તિમાં અધ્યાસ કરીને રહેશે. વર્ણભ્રષ્ટ અને જીર્ણ થયેલી આ મૂર્તિને બહાર કાઢીને સાથે લાવેલી દૃઢ અને નવીન મૂર્તિને અંદર રથાપિત કરું એવી બુદ્ધિથી જાવડ પ્રથમની મૂર્તિને ઉદ્ધાર કરશે. ( બહાર લઈ લેશે). તે વખતે શ્રી વજીરવામીએ મંત્રથી રતંભિત કરેલે પૂર્વોક્ત અસુરસમૂહ તેને ઉપદ્રવ કરવાને અશક્ત થઈ દારૂણ સ્વરે પિકાર કરશે. તેને વનિ આકાશમાં વ્યાપવાથી સર્વ ખેચરો દિગ્ગજેની સાથે ભય પામીને દૂર નાસી જશે, પૃથ્વી પર્વતેસહિત કંપાયમાન થશે, સમુદ્રમાં તરંગ ઉછળશે, સર્વે હાથી, સિંહ, મનુષ્ય અને સર્પો મૂછ પામી જશે, પ્રાસાદે, દિવાલો અને વૃક્ષ તત્કાળ પડી જશે, એ ગિરિરાજના પણ દક્ષિણ અને ઉત્તરમાં બે વિભાગ થઈ જશે, માત્ર વાસ્વામી, જાવડ અને તેની પલવિના બીજા સર્વે મરેલાની જેમ જમીન પર આળોટતા અચેતન થઈ જશે. સર્વ જનોની આવી સ્થિતિ જોઈને વજારસ્વામીએ પ્રતિબોધે ને કપર્દી યક્ષ કરમાં વજ લઈ અસુરોને અત્યંત તિરરકાર કરતો તે અસુરોની ઉપર દોડશે. તેને જોઈ પૂર્વકપદ ત્યાંથી નાસીને સમુદ્રના તીર ઉપર આવેલા ચંદ્રપ્રભાસ ક્ષેત્રની અંદર જઈ બીજું નામ ધારણ કરીને રહેશે. પછી વાસ્વામી લેકને શુદ્ધિમાં લાવવા માટે પ્રથમની પ્રતિમાના અધિષ્ઠાયકોને શાંત વાણુથી આપ્રમાણે કહેશે–જાવડે લાવેલું પ્રભુનું નવીન બિંબ પ્રાસાદની અંદર રહે, અને પૂર્વબિંબની સાથે તમે પણ અહિં (પ્રાસાદની બહાર) સ્થિર થાઓ. પ્રથમ અંદર રહેલા મુખ્ય નાયકને નમરકાર, સત્રપૂજા, વાજા અને આરાત્રિક મંગળ કરીને પછી પૂર્વબિંબને પણ એ પ્રમાણે કરશે. આ મુખ્ય મૂળ નાયકનીજ આજ્ઞા સદા રિથર થાઓ. જે આ રીતિને તોડશે, તેના મસ્તકને ભેદનાર (ન) કપર્દી યક્ષ થશે.” આવી શુભ પરિણામવાળી આજ્ઞા કરીને વજગુરૂ પૂર્વના સર્વ અધિષ્ઠાયક દેવતાઓને સ્વસ્થ કરશે. એટલે તેઓ પણ લેકિને સ્વરતાપૂર્વક હર્ષિત કરશે. પછી જય જય દવનિપૂર્વક મંગળ વાછત્રો વાગતે પ્રગટ દૈવતવાળી નવીન પ્રતિમાને પ્રતિષ્ઠા મહોત્સવ થશે. ગુરૂમાં જે
For Private and Personal Use Only