SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્ગ ૧૨ મો] નેમિકુમારનું પરાક્રમ, કૃષ્ણને પદ્માવતીનું દર્શન. ૪૧ થી તમારું સર્વ સૈન્ય ક્ષણવારમાં માહિતપણું તજી દઇને સ્વસ્થ થશે.” કૃષ્ણ બોલ્યા હું જેટલીવાર ધરણેન્દ્રના ધ્યાનમાં તત્પર રહું તેટલીવાર આ સેનાનું રક્ષણ કેણ કરશે?” પ્રભુએ કહ્યું ત્યાં સુધી શત્રુઓના સંકટથી હું રક્ષા કરીશ” તે સાંભળી હર્ષ પામેલા કૃષ્ણ ધરણંદ્રના આરાધનમાં તત્પર થયા. પિતાનું મન તેના ઉજજવળ ધ્યાનમાં જોડી દીધું. અહીં યાદવનું સૈન્ય રેઢું જોઈ પરાક્રમી જરાસંધ ચતુરંગ સેના લઈને ચઢી આવ્યું, અને ગગનમાં મંડપ રચતે તેમજ રવિને ઢાંકી દેતો જરાસંધ બીજા મેઘની જેમ બાવૃષ્ટિ કરવા લાગ્યો. તે વખતે નેમિકુમારની આજ્ઞાથી માતલિ સારથિએ ચક્રવાતની જેમ પ્રભુસંયુક્ત પિતાના રથને યાદવ સૈન્યની ચારે બાજુ ફેરવવા માંડશે. તે રથના ભમવાથી આખું વિશ્વ નિષ્ઠિત થઈ જાય તો પછી એક જરાસંધના સૈન્યનું તો શું કહેવું? પછી ત્રણ જગતમાં જેને શબ્દ વ્યાપી રહે છે એવા મહાશંખને પ્રભુએ પૂર્યો અને ભયંકર શબ્દ કરતું ઇંદ્રધનુષ્ય ખેંચીને તેને ટંકારવ કર્યો. તે ધનુષ્યને શબ્દ પ્રલયકાળના સમુદ્ર અને વષદના ઉત્કટ ગરવની જેમ સર્વને દુસહ થઈ પડ્યો. પછી સર્વ તરફ અસંખ્ય બાણે ચાલાકીથી છોડવા માંડ્યા, જેથી શત્રુઓ સર્વ ઠેકાણે વ્યાપકની જેમ પ્રભુને સવેમય જોવા લાગ્યા. તેમના રથના ફરવા સાથે છુટેલી બાણોની શ્રેણીને ભેદવારને અસમર્થ એવા સર્વ રાજાઓ રણમાં સાક્ષીભૂત હોય તેમ દૂર ઊભા રહ્યા. પ્રભુએ તે રાજાઓનાં કવચ, ધનુષ્ય, મુગટ, ધ્વજા અને બાણ છેદી નાખ્યાં; પણ દયાળુ પ્રભુએ તેમના પ્રાણ હર્યો નહિ. અહીં કૃષ્ણ ધ્યાનમાં લીન થયા હતા. તેમની આગળ ત્રીજે દિવસે કાંતિના પુજની અંતર્ગત રહેલાં પદ્માવતી દેવી પ્રગટ થયાં. દેવીઓના ગણની સાથે પોતાની સામે ઊભેલાં તે દેવીને જઈ પ્રણામ કરીને કૃષ્ણ તુતિપૂર્વક આ પ્રમાણે વચન બોલ્યા “હે પવિત્ર દેવિ ! આજે ધન્ય, કૃતાર્થ અને પવિત્ર થે. વળી આજે મારા સર્વ મનોરથ સફલ થયા કે જેથી મને તમારું દર્શન થયું. હે દેવિ ! તમારા વૈભવને મારી જિહાએ કેટલે વર્ણવું! જેને કહેવાને ઇંદ્રાદિક દેવતાઓ પણ સમર્થ થતા નથી.” આવાં ભક્તિભરેલાં વચનથી પ્રસન્ન થયેલાં તે દેવી બોલ્યાં “હે કૃષ્ણ! જે કાર્ય માટે તમે મારું મરણ કર્યું હોય તે કહે. તે સાંભળી વિષ્ણુ બેલ્યા “હે પરમેશ્વરી ! જો તમે સંતુષ્ટ થયાં છે તો મને પાર્શ્વનાથનું અ ભુત બિંબ આપો, જેથી જરાએ ગ્રસ્ત થયેલું આ સૈન્ય તેમનાં નાત્રજળથી સજજ થઈને શત્રુઓને મારે અને સદા તમારી પૂજા કરે. પદ્માવતી બોલ્યાં કહે કૃષ્ણ! આ તમારા બધુ શ્રીનેમિકુમાર કે જે વિજયવાન, જગતની રક્ષા કર ૫૬ For Private and Personal Use Only
SR No.020706
Book TitleShatrunjay Mahatmya
Original Sutra AuthorN/A
AuthorJineshwarsuri
PublisherJaindharm Prasarak Sabha
Publication Year1905
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy