________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
શત્રુંજય માહાત્મ્ય.
[ ખંડ ૧ લો. “ પાપકર્મને પ્રલય કરનાર હે નાથ ! તમે એવું કરો કે જેથી મારા વિષયને ગ્રહણ “ કરનારા સંકલ્પો અલ્પ થઈ જાય. હે જગત્પતિ! તમારા પ્રસાદથી પરાનંદમય “ હૃદયમાં નિમગ્ન થઈ રહેલા મને વેધવેકના ભેદની શૂન્યતા પ્રાપ્ત થાઓ. હે પ્રભુ! “ તમારી પાસે હું બીજી કાંઇ પ્રાર્થના કરતા નથી. માત્ર એટલુંજ માગુંછું કે તમા(6 રા પ્રસાદથી મારા ચિત્તમાં પરમતેજ પ્રકાશે. હૈ યાદવપતિ ! જે સુકૃતી પુરુષ કર્ણમાં અમૃત જેવા આ સ્તંત્રના ત્રિકાલ પાઠ કરે, તે તમારા સ્વરૂપને જાણ“ નારા થાયછે. જ્યાંસુધી આ પૃથ્વીઉપર સૂર્યચંદ્રનાં કિરણાના સમૂહ પ્રકાશે, ત્યાંસુધી આ તમારૂં રતવન સદા પૃથ્વીઉપર સમૃદ્ધિ પામેા.
((
૧ ),
'
આ પ્રમાણે શ્રીનેમિનાથની સ્તુતિ કરી ભરતે પેાતાના દેહ સાથે કર્મના ભારને નમાવતાં હષૅથી ક્ીવાર તેમને નમસ્કાર કર્યો. ગુરૂભક્તિવડે જેનું અંગ ૫વિત્ર છે એવા ભરતે યાચકાને વર્ગસંપત્તિના કારણરૂપ દાન આપ્યું. પછી ખંડ ભરતના અધિપતિએ પરિવાર સાથે ઉત્તમ આહાર કર્યાં. ત્યાર પછી ક્ષણવારે નિદ્રા આવવા લાગી. આ નિદ્રા ઇંદ્રિયાને મુદ્રણ કરનારી અને તમેરૂપા છે' એવું ધારી વિવેકદ્વીપક ભરતે તેને ચિત્તમાંથી દૂર કરવા માંડી. પેાતાના નેત્રરૂપે કમળ જરા જરા મીંચાતા જોઇ તે ઉપર શુદ્ધ જલનું સિંચન કર્યું, એટલે નિદ્રા જતી રહી અને પે।તે સાવચેત થયા. પેાતાના હૃદયને વિષે રહેલા સ્ફુરાયમાન રાગની ણિકા બતાવતા હાય તેમ મુખરંગને માટે તેમણે તાંબૂલ ગ્રહણ કર્યું અને દાનશાળામાં યાચકાને દાન આપતા ભરત ચક્રીએ યાચકાના દારિદ્રયરૂપ હાથી ઉપર પેાતાના હાથરૂપ સિંહને સ્થાપન કર્યો. તે સમયે વિચિત્ર વર્ણવાળા રતોથી ચિત્રકારી હોય તેમ ભૂમિ અને અંતરીક્ષને રંગબેરંગી કરતી રૈવતાચલની શાભા ભરતના જોવામાં આવી. રસજ્ઞ પુરૂષા પણ આ ગિરિનું વર્ણન પૂર્ણ રીતે કરી શકે તેમ નથી એવું ધારી પાતે શક્તિસિંહની આગળ તેનું વર્ણન કરવા લાગ્યા.
(6
આ ગિરિ આગળ મેગિરિ મારા મનને આહ્વાદ આપતા નથી, વિંધ્યાચળ વંધ્ય જેવા લાગે છે, અને હિમાલય વ્યર્યું છે, કારણ કે કાઈ પર્વત આ રૈવતાચલની સમાનતાને પામતા નથી. આ ગિરિરાજ લક્ષ્મીના ક્રીડા પર્વત છે, મહાસિદ્ધિનું સ્થાન છે અને આ ગિરિમાં રત્નો, રસકૂપ અને કલ્પવૃક્ષા રહેલાં છે. આ મનહર પર્વત બરાબર સમવસરણની શાભાને ધારણ કરે છે, કારણ કે તેની મધ્યમાં ચૈત્યવૃક્ષ જેવું મુખ્ય શિખર જણાયછે. આસપાસ વત્ર જેવા
૧ આ સ્તોત્ર ૩૨ શ્લોકનું છે, તે દરેક આત્મહિતચિંતકને કંઠે કરવાયોગ્ય છે. ૨ નમાવતાં= (હપક્ષે ) વિનયથી નમન કરતા; ( કર્મપક્ષે) હરાવતા, ક્ષીણ કરતા. ૩ જડ. ૪ મોક્ષ. ૫ ગઢ.
For Private and Personal Use Only