________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાતીર્થોદ્ધાર પ્રબંધ' એવો ઉલ્લેખ હોવાથી આ પ્રબંધનું નામ શ્રી શત્રુજ્ય મહાતીર્થોદ્વાર પ્રબંધએવું રાખ્યું છે.
જો કે પૂર્વ પ્રકાશનમાં સંપાદક પં. ભગવાનદાસે આ ગ્રંથના અંતે શ્રી નમિનંદન નિની દ્ધારyવંદ: સંપૂ નાત: . ' એવો ઉલ્લેખ હોવાથી ગ્રંથનું નામ “શ્રી નાભિનંદન જિર્ણોદ્ધાર પ્રબંધ રાખેલ છે. પરંતુ પ્રત્યેક પ્રબંધના અંતે “શ્રી શત્રુંજય મહાતીર્થોદ્ધાર પ્રબંધ' એ નામનો ઉલ્લેખ હોઈ અને એ જ સમીચીન જણાતા અમે “શ્રી શત્રુંજય મહાતીર્થોદ્ધાર પ્રબંધ' એનામ રાખેલ છે.
આ પ્રબંધનો ગુજરાતી અનુવાદ શ્રીમાન આચાર્ય વિજય શ્રી નીતિસૂરિજીએ શાસ્ત્રીગિરજાશંકર પાસે કરાવી આપ્યો છે.
ગ્રંથકર્તા શ્રી કક્કસૂરિ મહારાજા તથા ગુજરાતી અનુવાદ કરનાર શાસ્ત્રી ગિરજાશંકરનો ઉપકાર માનીએ છીએ. તથા શ્રી હેમચંદ્રાચાર્યજન ગ્રંથમાળા તથા સંપાદન કરનાર પં. ભગવાનદાસ હરખચંદ પ્રત્યે કૃતજ્ઞતાભાવને પ્રદર્શિત કરીએ છીએ.
પ્રસ્તુત ગ્રંથના સ્વાધ્યાય દ્વારા શ્રી શત્રુંજય તીર્થના ઈતિહાસના માહિતગાર બની તીર્થ પ્રત્યે હૃદયમાં ભક્તિભાવની વૃદ્ધિ કરી અનેક આત્માઓ આત્મશુદ્ધિ પ્રાપ્ત કરે એ જ શુભેચ્છા.
શ્રુતભક્તિનો વિશેષ લાભ મળ્યા કરે એ જ શ્રુતાધિષ્ઠાયિકા શ્રી સરસ્વતી દેવીને પ્રાર્થના.
લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
ટ્રસ્ટીઓ ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા લલિતભાઈ રતનચંદ કોઠારી પુંડરીકભાઈ અંબાલાલ શાહ
For Private and Personal Use Only