SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમરસિંહને દેવ૫તનમાં પ્રવેશેલ્સવ તીમાં પ્રવેશ કરે તેમ, પ્રભાસપાટણમાં પ્રવેશ કર્યો. તે વેળા સોમનાથને મુખ્ય મહંત તેની આગળ ચાલતો હતો, તે મહંતતા બીજ અનુયાયીઓ પિતાની મેળે ઉત્સવ કરીને તેના ઉત્સાહમાં વૃદ્ધિ કરતા હતા, પાટણનગરમાં પણ દરવાજે દરવાજે તારણે લટકાવી દીધાં હતાં અને ચોતરફ પતાકાઓ ફરકી રહી હતી. ૨૦૭-૨૧° સહુને માન્ય એવો તે દેશલ, શ્રી સોમેશ્વર મુગ્ધરાજની પાસે હર્ષની સાથે ઉત્સવપૂર્વક એક પ્રહર સુધી રહ્યો.૨૧ ૧ અહો! આ ઘણું આશ્ચર્ય ગણાય કે, જે પૂર્વકાળમાં સંપ્રતિરાજા, સાતવાહન, શિલાદિત્ય, તથા આમ રાજા વગેરે રાજાઓએ, તથા સત્યયુગમાં ઉત્પન્ન થયેલા બીજા ધનવાન જેનેએ તથા કુમારપાલ જેવા મહારાજાએ પણ જે વૈરને દૂર કર્યું ન હતું તે વૈર દેશલના ભાગ્ય ગે હમણું કળિકાળમાં પણ દૂર થયું.૨૧૬ શ્રીજેનશાસન અને શિવશાસનનું પરસ્પર સ્વાભાવિક વૈર દૂર કરીને તે બન્ને મુગ્ધરાજ તથા સમરસિંહની પર્ષદ મિત્રની સભાની જેમ શોભતી હતી.૧૩ સંધપતિ દેશલે એ પ્રિય મેળાવડામાં સમસ્ત સંધને સ્થાપિત કર્યો અને વૈરભાવ દૂર થવા રૂ૫) જે આશ્ચર્ય સત્યયુગમાં પણ બન્યું ન હતું તે એના ભાગે તે વેળા બન્યું. ૨૧૪ એ સમયે કોઈ એક કવિએ આ પ્રમાણે ગાયું હતું આ પૃથ્વી ઉપર કેટલા સંધપતિઓ થયા નથી? અર્થાત અનેક સંધપતિઓ થઈ ગયા છે, પણ હે સાધુવીર સમરસિંહ! તેએામાં એકેય તારા માર્ગને અનુસરી શક્યો નથી. તારા જેવું કર્મ કરી શક્યો નથી. કેમકે તેં શ્રીનાભિનંદન ભગવાનને ઉદ્ધાર કર્યો, દરેક નગરમાં ત્યાંના રાજાઓ તારી સામે આવ્યા અને છેવટે શ્રી સોમનાથના નગરમાં (પ્રભાસ પાટણમાં) પણ ત્યાંના શિવધની ઓના આનંદ સાથે) તે પ્રવેશ કર્યો. આ પ્રકારે તારી નવી કીર્તિ જગતમાં ઝળકી રહી છે. ૨૧૫ દેશલે તે પ્રભાસ તે આ પ્રમાણે તે સંધી માર્ગ નાભિના (૨૨૩) For Private and Personal Use Only
SR No.020704
Book TitleShatrunjay Mahatirthoddhar Prabandh
Original Sutra AuthorN/A
AuthorJinshasan Aradhan Trust
PublisherJinshasan Aradhan Trust
Publication Year2002
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy