SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નું નામ પાડવામાં આવે છે. આ જ પ્રમાણે નિધન તથા દેવતાના આધારે પણ નામ પાડવામાં આવે છે. (૭) કર્મફળને આધારે નામ કરણ: અનેકવિધ સામનું નામકરણ કર્મ તથા તેનાંથી પ્રાપ્ત થતાં ફળને આધારે કરવામાં આવે છે, કમનો અર્થ એ છે કે જે કાર્ય સામને આધારે કરવામાં આવે છે તે તથા ફળ અર્થ છે. ઐહિક તથા આમિક ફળની પ્રાપ્તિ, આ રીતે કાર્ય અને ફળનાં આધાર ઉપર સામનામ આપવાના વિષયમાં અનેક આખ્યાનો બ્રાહ્મણ ગ્રંથોમાં મળે છે. "સાંવર્તિ રામના નામની બાબતમાં તા.બ્રામ આખ્યાન છે કે દેવતાઓના વજ્ઞનો રાક્ષસો નાશ કરવા ઈચ્છતા હતા તેવી ઈન્દ્રએ આ સામ દ્વારા યજ્ઞને ચારે તરફ્રી ઘેરી લીધો, તેથી આરામનું કમને આધારે "સાવ સામ" નામ પડ્યું, જ્યારે "હારાયણ" સામ ફાર ઇન્દ્ર તેજ અને બળ પ્રાપ્ત કર્યાં. આમ આ સામનું ગાન કરનારને સામર્થ્ય-શનિ તેજ પ્રાપ્ત થાય છે તેથી તેનું નામ "હારાયણ" પડ્યું. સામગાતનાં વિષયો : , દેવતા, છન્દ, સ્તોમ : સામગાન સમયે ગાન કરનારે એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે, પોતે ક્યાં ઋક્ ઉપર પાન કરે છે, તે ઋકનાં ઋષિ દેવતાને છન્દ તેમજ જે સ્તોત્રથી સ્તુતિ કરવી હોય, તે સ્તોત્રની તરફ ધ્યાન રાખવું જોઈએ. તેમજ જે દિશા તરફ મુખ રાખીને સ્તુતિ કરતાં હોય તે દિશાનું ચિંતન કરે એટલું જ નહીં પોતાના નામ—ગોત્ર વગેરેના સ્મરણ સાથે જે ઈચ્છાથી સ્તુતિ કરતા હોય તે ઈચ્છાનું ચિંતન કરે. પ્રાચીન સમયથી મનોના દેવા ઉપર વિચાર થતો આવે છે. વાસ્કમુનિનો સિદ્ધાંત છે કે છે જે બાબતનું પ્રતિપાદન કરવામાં આવ્યું હોય, જે ઈચ્છાથી ઋષિએ મુખ્યરૂપે જેની સ્તુતિ કરી હોય ( તે તેના દેવતા છે. સામાનના સંદર્ભમાં દેવતા વિષયક બાબતનો વિચાર કરતાં ડૉ. પંકજ માલા - શર્મા બે સિદ્ધાંતોને નજર સમક્ષ રાખે છે. (૧) આર્થિક દૃષ્ટિથી દેવતાવિચાર (૨) ગાન દષ્ટિથી દેવતા વિચાર. આર્ગિક સંહિતા સંબંધી દેવતા વિચારમાં તેની આધારભૂત ગ્વની ઋચાઓનાં જે દેવતા છે, તજ તનાં પણ દેવતા છે. તેથી જ સામવેદની આર્ચિક સંહિતાને દૈવત હતા પણ કહે છે. જ્યારે આર્થિક આ સહિતામાં સંકલિત સામયોનિ ઋચાઓના દેવતાઓના વિચારમાં, પૂર્વાચિકનાં પ્રથમ પર્વો ઉપર જે | માન છે તેના મોટેભાગે દેવતા સામયોનિ &કનાં જ દેવતા છે. આગ્નેયપર્વમાં ગ્રામેગેગાનોનાં દેવતા ૩૮૮ For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy