SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ આસનથી સર્વ પાપોનો નાશ થાય છે. તેમજ ગુલ્મ, જલોદર, પ્લીહાબલો, વાત, પિત્ત, કફ તથા આલસ્યનો શીઘ નાશ કરે છે, જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે. આમ આરોગ્યવર્ધક છે. ૧૨ આ આસન નબળા શરીરવાળાએ, પેટનો દુઃખાવો હોય તેણે, બાળકોએ ન કરવું. સ્ત્રીઓએ પણ શકય હોય ત્યાં સુધી ન કરવું, અપવાદરૂપ વિશેપ શક્તિશાલી સ્ત્રીઓ આ આસન કરી શકે, પરંતુ તેમણે પણ સગર્ભાવસ્થામાં ન કરવું. આ આસનમાં નિપૂણતા મેળવ્યા બાદ જ બસ્તિ ક્રિયામાં આગળ વધવું. (૯) સુખાસન : ૧ જે પ્રકારે બેસવાથી શરીરને સુખની અનુભૂતિ થાય, ધૈર્યમાં ન્યૂનતા ન આવે તે સ્થિતિને સુખાસન કહે છે. નિર્બલ સાધકે આ આસનનો આશ્રય લેવો જોઈએ. (૪) પ્રાણાયામ : સ્થળ-આસન-દેશ; ઋતુ વગેરે : શાંત, સ્વચ્છ, સ્થળ પસંદ કરવું. મચ્છર, સખત પવન વગેરે બાધાઓથી રહિત એકાંત સ્થાન ઉનમ ગણાય. પલંગ–ગાદલા વગેરેનો નહીં પરંતુ દર્બાસન કે ગરમ આસન ઉપર સ્વચ્છ કાપડનો કટો પાથરીને આસન બનાવવું તે શ્રેષ્ઠ છે. વૉગિક ગ્રંથોમાં સૂચન પ્રમાણે સિદ્ધાસન, પદ્માસન, સ્વસ્તિકાસન વગેરેમાંથી કોઈપણ એક આસનમાં બેસવું અને ભસ્ત્રિકા પ્રાણાયામ સમયે પદ્માસનમાં જ બેસવું. સામાન્ય રીતે દિવસમાં ત્રણવાર અભ્યાસ કરવો, વિશેષ અભ્યાસ બાદ રાત્રે પોથી વાર પણ કરી શકાય. પ્રારંભના અભ્યાસમાં પ્રાતઃ અને સાય; બાદમાં મધ્યાહન અને વિશેષ અભ્યાસ પછી રાત્રિએ એમ ચારવાર અભ્યાસ કરવો. મહર્ષિ પતંજલિ આસન સિદ્ધ થઈ જાય ત્યારે શ્વારા તથા પ્રયાસની ગતિને રોકવી તેને પ્રાણાયામ કહે છે. બહારથી નાસિકા દ્વારા વાયુને અંદર હોવો તેને શ્વાસ કહેવાય છે, તથા અંદરથી વાયુને બહાર કાઢવો તે પ્રશ્વાસ કહેવાય છે. આ પ્રાણાયામના ચાર ભેદ મહર્ષિ પતંજલ દશાવે છે. [1] બાવૃત્તિ, (૨) આભ્યન્તરવૃત્તિ, (૩) મમવૃત્તિ અને (૪) બાહ્યાખ્યાન્નર વિપયાપેલી, વાગકુંડલી ઉપ.માં શરીરમાં રહેલા વાયુને પ્રાણ તથા કુમકને ખાયામ કહેલ છે. તેથી પ્રાણાયામનો અર્થ થાય છે, શરીરમાં રહેલાં વાયુને કુમનક દ્રારા કવો. આ પરિભાષા વિશેપ બાય લાગે છે કારણ કે, કુમ્ભક દ્વારા જ પ્રાણ પહેલાંની અપેક્ષાએ "આયામ" અથાં વિસ્તારને પ્રાપ્ત કરે છે. For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy