________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાલો. હવે રત્નગિરિથી નીચે ઉતરીને રોડે રોડે થોડું ચાલશો એટલે ત્રીજો ઉદયગિરિ પર્વત આવશે. અહો ! આપણે તો ત્રીજા ગિરિ ઉપર પણ આવી ગયા. અહીં ગિરિ ઉપર દેરીમાં મૂળનાયક પરમાત્માની જગ્યાએ સુંદર ગોખલો વિદ્યમાન છે. પરંતુ તેમાં પ્રભુજી જ નથી. ડાબી બાજુએ ચન્દ્રપ્રભસ્વામીજી અને જમણી બાજુએ પાર્શ્વનાથ ભગવંતની ચરણ પાદુકાઓ છે. ચાલો! અહીં પ્રભુજીનું ચૈત્યવંદન કરીએ. અરિહંત ચેઈયાણ કરવું.
થાય પરમ સુખદા વિમલ વાણી, તાપ શાન્તિ સુકારિણી, શુભ ભાવ વર્ધક, સિદ્ધિ સર્જક, રાગ દ્વેષ નિવારિણી, નય ભંગી ભાષી, ગુણ વિકાસી, સૂરિ રાજેન્દ્ર સર્વદા, કર જ્યન્ત સૂરિ યતીન્દ્ર વંદન, ભાવ ભક્તિ ઘર સદા //
હવે આપણે ચોથા પર્વત-સુવર્ણગિરિ પર જઈએ. આ પહાડનો ચઢાવ લાંબો છે. અંદાજે દોઢ કિ.મી. છે. ૧OOO પગથિયાઓનું ચઢાણ અને જંગલમય માર્ગ છે. એકલા જવાની પરવાનગી અપાતી નથી. પણ આપણે તો સમૂહમાં છીએ. આપણને શો વાંધો ?
(૨૪
For Private and Personal Use Only