________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાલો ! ચાલો ! હવે વિપુલાચલગિરિએથી નીચે ઉતરી ને આપણે બીજા રત્નગિરિ પર્વતની જાત્રા કરવા જઈએ ! યાત્રિકો ! આ પર્વતનું ચઢાણ જરા આકરું છે. પણ ગભરાશો નહિ ! શાસનદેવો આપણી સાથે જ છે ! અહોહો ! જોતજોતામાં તો આપણે ગિરિવર ચઢી ગયા.
જુઓ : શાંતિનાથ ભગવાનની ચૌમુખ આકારે સુંદર જિનપ્રતિમાઓ અહીં હતી. તેમાં મુખ્ય બાજુ અને ડાબી બાજુ જિનમૂર્તિઓ છે. પરંતુ અન્ય બે જિનમૂર્તિઓ અહીં નથી. કદાચ તે ચોરાઈ ગઈ હોવાનો સંભવ છે. શ્રી શાંતિનાથ ભવંતની ચરણપાદુકાઓ વિરાજીત છે. ચાલો ત્યાં વંદન કરીએ. અરિહંત ચેઈયાણ કરવું.
થોય પ્રમાણ નય નિક્ષેપ ગ્રંથિત, અંગ બાહ્ય પ્રવિષ્ઠ હૈ, મદ મોહ માયા તમ વિદારક, આત્મ સાધન ઇષ્ટ હૈ, સૂરિવર રાજેન્દ્ર ભાષિત સુખદ સંપદ કારિણી, વાણી યતીન્દ્ર જયન્ત વન્દ, વિમલ ભવનિધિ તારિણી //
બોલો બધા સાથે : શ્રી શાંતિનાથ ભગવાન કી જય.
- ૨૩
For Private and Personal Use Only