________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
નમો જિણાણું ! નમો જિણાણા! પ્રભુજીના દર્શન કરો.
રાજગૃહીમાં પાંચ પર્વતો આવેલા છે. ચાલો.. આપણે એ પાવન ગિરિઓની યાત્રા કરવા જઈએ...
આ જુઓ : પહેલો પર્વત વિપુલાચલગિરિ ! નીચે તળેટીએ મહાવીર પ્રભુજીના અતિપ્રાચીન પગલાં છે. તેને ભાવથી પ્રણામ કરીએ. અરિહંત ચેઈયાણ કરવું.
થોય પ્રભુ વીર વંદન, દુરિત ખંડન, તીર્થ મંડન વિભુવરા, ભવ વારિધિ જિન તરણ તારણ, નિત્ય પૂજિત સુરનરા, જિનચંદ હરતે, ફંદ ભવને, કંદ શિવતરૂ જયકરા, ત્રલોક તારક, અધ નિવારક નાથ નિર્મલ સુખકરા ||
- હવે પર્વત ચડવા માંડો. આ પર્વત ઉપર, પરમતારક | શ્રી મુનિસુવ્રતસ્વામીના ચાર કલ્યાણકો જયાં થયા છે તે પુણ્યભૂમિ પર તે પરમતારક પ્રભુના પગલાં છે. નમો જિણાણું ! અને આ બાજુ બાળમુનિ અઈમુત્તા કેવલીના અતિ પ્રાચીન (પ્રાયઃ ૧૮૨૫ની સાલની) કાળા આરસમાં કોતરેલી સુંદર પ્રતિમાજી છે. અનંત વંદન હો અઈમુત્તા કેવળીને !
(૨ રમ
For Private and Personal Use Only