________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થૂલભદ્રજીની માળાનો જાપ અનુકૂળતા મુજબ કરી શકાય.
ચાલો હવે આપણે પટણા સિટિમાં ગઈ ચોવીશીના તીર્થંકર પરમાત્મા શ્રી વિશાળનાથ પ્રભુને ભેટીએ.
અહો ! મનોહારિણી, ભવોદધિતારિણી આ મૂર્તિ કેવી સુંદર દીસે છે !! નમો જિણાણે પ્રભુ !
ચાલો : ચૈત્યવંદન કરીએ. અરે ! બહાર કયાં ચાલ્યા ? અહીં ઉપર આવો.
ઉપરના માળે : બારસો વર્ષ પ્રાચીન શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની સુંદર પ્રતિમા છે. પ્રતિમાજી બનાવતાં એના ઉપર જ વસ્ત્ર-આભૂષણો કોતરાયેલાં છે. અહો ! કેવી સુંદર લાગે છે; આ પ્રતિમા ! હજી આપણી યાત્રા ઘણી લાંબી છે. હવે અહીંથી સીધા કુંડલપુર જવાનું છે. મ્યુઝિક પ્રયાણ થઈ રહ્યું હોય તેવું !
અહો ! આ નાલંદા-કુંડલપુરની ભૂમિ ઉપર આપણે આવી ઊભા. આ બે ગામ છે, છતાં એક જ શહેર જેવું
છે !!!
ચાલો ! હવે કુંડલપુર જઈએ. અહો આ સામે દેખાય
(૧૮)
For Private and Personal Use Only