________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવંતની ૨૫૦૦ વર્ષ પુરાણી મનોહારિણી સુંદર મૂર્તિ સોહી રહી છે.
મૂલનાયક શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ ભગવંત અને અન્ય જિનમૂર્તિઓ – શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ વગેરે પ્રભુજીઓ પણ કેવા સરસ છે !
અને આ ભમતિમાં જુઓ... નાની અનોખા પ્રકારની કેટલી પ્રાચીન પ્રતિમાજી છે ! બધા સાથે મળીને બોલો કમઠે ધરણેન્દ્ર ચ, સ્વોચિતં કર્મ કુતિ, પ્રભુસ્તુલ્યમનોવૃત્તિઃ, પાર્શ્વનાથઃ શ્રિયેઽસ્તુ વઃ ॥
ચાલો... હવે ગંગાના ઘાટે આવેલા શ્રી પાર્શ્વપ્રભુજીના દેરાસરે જઈએ...
જુઓ; આ સામે ભાગિરથી ગંગાના નીર હિલોળા લઈ રહ્યા છે. આ એ સ્થળ છે : જ્યાં ગંગાના કિનારે હજારો વર્ષ પહેલાં ધૂણી ધખાવીને કમઠ તપાસ બેઠો હતો. એણે ધખાવેલી ધૂણીના લાકડામાં એક સર્પ બળી રહ્યો હતો. શ્રી પાર્શ્વકુમારે જ્ઞાનબળથી આ જાણ્યું.. અને તેઓ અશ્વારૂઢ બનીને અહીં આવ્યા અને બળતા સર્પને તેમણે બચાવ્યો. નવકાર મહામંત્ર સંભળાવીને તેઓને શાતા આપી. સર્પ નાગરાજ ધરણેન્દ્ર બન્યા.
-
For Private and Personal Use Only