________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫) સંશયાત્મક શબ્દોને વર્ષો સુધી યાદ રાખવા તે સંદિગ્ધગ્રાહિણી ધારણા. (૧૧) ધ્રુવગ્રાહી -
એક જ વાર સાંભળેલાં શબ્દો કાયમી યાદ રહી જાય તે શ્રોત્રેન્દ્રિયજન્ય ધૃવગ્રાહી મતિજ્ઞાન કહેવાય.
દા.ત. એક વર્ગમાં ૨૫ વિદ્યાર્થી હોય, તેમાં તીવ્રતમ બુદ્ધિશાળી વિદ્યાર્થીને શિક્ષકે એક જ વાર આપેલું લેક્ટર કાયમી યાદ રહી જાય તે શ્રોત્રેન્દ્રિયજન્ય ધૃવગ્રાહી મતિજ્ઞાન કહેવાય.
શ્રોસેન્દ્રિયજન્ય ધૃવગ્રાહી મતિજ્ઞાન પાંચ પ્રકારે છે. (૧) એક જ વાર સાંભળેલા શબ્દોનો ગાઢ સંસ્કારાત્મક અત્યંત અસ્પષ્ટ બોધ તે ધૃવગ્રાહી વ્યંજનાવગ્રહ કહેવાય. (૨) એક જ વાર સાંભળેલાં શબ્દોનો ગાઢ સંસ્કારાત્મક અસ્પષ્ટ બોધ તે ધ્રુવગ્રાહી અર્થાવગ્રહ કહેવાય. (૩) તે અંગેની વિચારણા તે ધ્રુવગ્રાહિણી ઈહા કહેવાય. (૪) તે અંગેનો નિર્ણય તે ધ્રુવગ્રાહી અપાય કહેવાય. (૫) એક જ વાર સાંભળેલાં શબ્દો પાકાપાયે મગજમાં ચોંટી જાય તે ધ્રુવગ્રામિણી ધારણા કહેવાય. (૧૨) અધુવગ્રાહી :એક જ વાત અનેકવાર સાંભળવા છતાં યાદ ન રહે. ભૂલી જવાય. કદાચ યાદ રહે તો પણ ફેરફાર થઈ જાય, તે શ્રોત્રેન્દ્રિયજન્ય અધુવગ્રાહી મતિજ્ઞાન કહેવાય.
દા.ત. એક વર્ગમાં ૨૫ વિદ્યાર્થી હોય તેમાં મંદક્ષયોપશમવાળા વિદ્યાર્થીને એક જ વાત દશવાર સમજાવે તો પણ યાદ ન રહે. અને કદાચ યાદ રહે તો પણ તેમાં ફેરફાર થઈ જાય તે શ્રોત્રેન્દ્રિયજન્ય અપ્રૂવગ્રાહી મતિજ્ઞાન કહેવાય. શ્રોન્દ્રિયજન્ય અધુવગ્રાહી મતિજ્ઞાન પાંચ પ્રકારે છે. (૧) એક જ વાત, અનેકવાર સાંભળતાં જે અત્યંત અસ્પષ્ટબોધ થાય તે અપ્રૂવગ્રાહી વ્યંજનાવગ્રહ કહેવાય. (૨) એક જ વાત અનેકવાર સાંભળતાં જે અસ્પષ્ટ બોધ થાય તે અપ્રૂવગ્રાહી અર્થાવગ્રહ કહેવાય. (૩) તે અંગે વારંવાર વિચારણા કરવી તે અધૂવગ્રાહિણી ઈહા કહેવાય. (૪) તે અંગે કાચાપાયે નિર્ણય થાય તે અધુવગ્રાહી અપાય કહેવાય. (૫) એક જ વાત, અનેકવાર સાંભળવા છતાં કાચા પાયે મગજમાં ચોંટે તે અધૂવગ્રામિણી ધારણા કહેવાય.
૭૦
For Private and Personal Use Only