SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦ મતિજ્ઞાનના ૨૮ ભેદનું જ્ઞાનપણ અનેકજીવને આશ્રયીને કે એક જીવને આશ્રયીને ક્ષયોપશમની વિચિત્રતા કે વિષયની વિવિધતાને લીધે સદાકાળને માટે એક સરખું હોતું નથી. માટે મતિજ્ઞાનના વ્યંજનાવગ્રહાદિ ૨૮ ભેદ પૈકી દરેકભેદનાં “બહુવિગેરે બાર બાર પ્રકાર થાય છે. તેથી મતિજ્ઞાનના ૨૮ x ૧૨ = ૩૩૬ ભેદ થાય છે. તેમાં સ્પર્શેન્દ્રિયજન્યવ્યંજનાવગ્રહાદિ ૫ X ૧૨ (બહુવિગેરે) ૬૦ રસનેન્દ્રિયજન્યવ્યંજનાવગ્રહાદિ ૫ x ૧૨ ધ્રાણેન્દ્રિયજન્યવ્યંજનાવગ્રહાદિ ૫ X ૧૨ ૬૦ શ્રોત્રેન્દ્રિયજન્યવ્યંજનાવગ્રહાદિ ૫ x ૧૨ ૬૦ ચક્ષુરિન્દ્રિયજન્યવ્યંજનાવગ્રહાદિ ૪ x ૧૨ ४८ મનોજન્યવ્યંજનાવગ્રહાદિ ૪ x ૧૨ ૪૮ શ્રુતનિશ્રિત મતિજ્ઞાનના કુલ ૩૩૬ ભેદ થાય શ્રોત્રેન્દ્રિયજન્યમતિજ્ઞાનના ૬૦ ભેદ (૧) બહુગ્રાહી : બહુ = ઘણાં, તીવ્રબુદ્ધિશાળી મનુષ્ય ઘણા વાજિંત્રોનાં શબ્દસમૂહમાંથી અલગ અલગ શબ્દોને જાણી શકે તે શ્રોત્રેન્દ્રિયજન્યબહુગ્રાહી મતિજ્ઞાન કહેવાય. દા. ત. ઓરકેસ્ટ્રા ચાલતી હોય તેની સાથે ફીડલ, હારમોનિયમ, દિલરૂબા, સિતાર, તબલાં, વીણા વિગેરે વાજિંત્રો એકી સાથે વાગતાં હોવાથી તે બધા વાજિંત્રોનો નાદ કાને અથડાય છે. એ વખતે “આ હારમોનિયમનો અવાજ છે.” “આ તબલાંનો અવાજ છે” “આ વીણાનો અવાજ છે” એ રીતે અલગ અલગ શબ્દોને એકીસાથે સાંભળી શકે તે શ્રોત્રેન્દ્રિયજન્યબહુગ્રાહી મતિજ્ઞાન કહેવાય. -: શ્રોત્રેન્દ્રિયજન્યબહુગ્રાહી મતિજ્ઞાન ૫ પ્રકારે છે :(૧) ઘણા વાજિંત્રોનાં શબ્દસમૂહમાંથી અલગ અલગ શબ્દોનો જે અત્યંત અસ્પષ્ટબોધ તે બહુગ્રાહી વ્યંજનાવગ્રહ કહેવાય. A. વહુ-વહુવિધ-પ્રિ-નિકિતા-સંધિથુંવાણાં લેતા ૧,૨૬ I ૬૪ For Private and Personal Use Only
SR No.020577
Book TitlePratham Karmagranth Karmavipak
Original Sutra AuthorN/A
AuthorHarshagunashreeji
PublisherOmkar Sahitya Nidhi
Publication Year1995
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy