________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ષનો છે. સંખ્યાતવર્ષનાં મનુષ્યાદિની અપેક્ષાએ વાસનાનો કાળ સંખ્યાતવર્ષની છે. અને અસંખ્યાતવર્ષના યુગલિક મનુષ્યાદિની અપેક્ષાએ વાસનાનો કાળ અસંખ્યાત વર્ષનો છે.
(૩) સ્મૃતિધારણા - આત્મામાં દૃઢ થયેલા સંસ્કાર (વાસના) જઘન્યથી અંતર્મુહૂર્તકાળે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતવર્ષે જાગૃત થતા “તે એ જ વસ્તુ છે કે જેને મેં પહેલાં જોઇ હતી”(અનુભવી હતી) આવું જે જ્ઞાન થાય છે તે સ્મૃતિ કહેવાય છે. જાતિસ્મરણ જ્ઞાનનો સમાવેશ “સ્મૃતિ” માં થાય છે. (૧) સ્પર્શેન્દ્રિયજન્ય અવગ્રહાદિની સમજુતિ -
અંધારામાં ચાલતાં કોઈક વસ્તુનો સ્પર્શ થવાથી “અહીં કંઈક છે” એવું જે અસ્પષ્ટશાન થયું “તે સ્પર્શેન્દ્રિયજન્ય અર્થાવગ્રહ” કહેવાય. ત્યાર પછી, આ દોરડું છે કે સર્પ ? એવી શંકા થતા વિચારે છે કે જો સર્પ હોત તો હુંફાડો માર્યો હોત. પણ સ્થિર છે. હલન-ચલનની ક્રિયા દેખાતી નથી માટે “દોરડું હોવું જોઇએ સર્પ ન હોય” એવી વિચારણાવાળું જે જ્ઞાન તે “સ્પર્શેન્દ્રિયજન્ય ઈહા” કહેવાય. ત્યાર પછી, “આ દોરડું જ છે. સર્પ નથી” એવું જે નિર્ણયાત્મક જ્ઞાન તે “સ્પશેન્દ્રિયજન્યાપાય” કહેવાય. “બરછટ સ્પર્ધાદિ ધર્મવાળી વસ્તુને દોરડું કહેવાય” એવું વર્ષો સુધી યાદ રાખવું તે “સ્પર્શેન્દ્રિયજન્યધારણા” કહેવાય. (૨) રસનેન્દ્રિયજન્ય અવગ્રહાદિની સમજુતિ -
જીભની સાથે વસ્તુનો સ્પર્શ થતા “કાંઇક સ્વાદ આવ્યો” એવું જે અસ્પષ્ટજ્ઞાન થાય તે “રસનેન્દ્રિયજન્ય અર્થાવગ્રહ” કહેવાય ત્યારપછી, એ સ્વાદે મીઠો છે. ખટમીઠો નથી માટે “સાકરનો સ્વાદ હોવો જોઈએ. દ્રાક્ષનો ન હોય” એવી વિચારણાવાળું જે જ્ઞાન તે “રસનેન્દ્રિયજન્ય ઈહા” કહેવાય. ત્યારપછી, “આ સાકરનો જ સ્વાદ છે. દ્રાક્ષનો નથી” એવું નિર્ણયાત્મક જે જ્ઞાન તે “રસનેન્દ્રિયજન્યાપા” કહેવાય. ત્યારપછી, “આવા સ્વાદવાળી વસ્તુને સાકર કહેવાય” એવું વર્ષો સુધી યાદ રાખવું તે “રસનેન્દ્રિયજન્યધારણા” કહેવાય. (૩) ઘ્રાણેન્દ્રિયજન્ય અવગ્રહાદિની સમજુતિ :
બગીચા પાસેથી પસાર થતા “સુગંધ આવી રહી છે” એવો જે
For Private and Personal Use Only