________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશકીય) ]
અનેકાનેક વિચિત્રતા ને વિષમતાથી ભરેલો છે. આ સંસાર ક્યારેક હર્ષ તો ક્યારેક રુદન. ક્યારેક સુખ તો ક્યારેક દુઃખ. ક્યારેક તડકો તો ક્યારેક છાયો. ક્યારેક પ્રસન્નતા તો ક્યારેક વિષાદ. ક્યારેક પ્રગતિ તો ક્યારેક અધોગતિ.....
આવા આવા કંઈ કેટલાય ચિત્ર-વિચિત્ર ભાવો સંસારમાં સર્વત્ર નજરે પડે છે. એનું મૂળ કારણ છે કે તે જીવોના તે તે કર્મો.. કયા કયા કર્મોથી આવા ભાવોનો પ્રભાવ આપણા જીવનમાં અસર કર્તા બની રહે છે, તે જાણવા-સમજવા માટે અત્યંત ઉપયોગી પુસ્તક પ્રસ્તુત થઈ રહ્યું છે કર્મ વિપાક.
વિપાકોની સમજણ આપતું આ પુસ્તક પૂજ્ય સાધ્વી શ્રી સુવર્ણાશ્રીજી મ. ના શિષ્યા પૂજ્ય સાધ્વી શ્રી રમ્યગુણાશ્રીજી મ. (પૂ. બા.મ.)ના શિષ્યા પૂ. સા. શ્રી હર્ષગુણાશ્રીજીએ ભારે જહેમત અને ખંતપૂર્વક તૈયાર કર્યું છે... બીજું પુસ્તક કર્મસ્તવ પણ છપાઈ રહ્યું છે.
પ્રથમ કર્મગ્રંથ પર સુવિસ્તૃત વિવેચન જેમાં છે એવા આ ‘કર્મવિપાક પુસ્તકનું પ્રકાશન કરતાં અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ.
પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી ૩ૐ કારસૂરીશ્વરજી મહારાજાની પાવન સ્મૃતિમાં “ૐકારસાહિત્યનિધિદ્વારા અમે થોડા સમય પૂર્વે ગ્રંથપ્રકાશન કાર્યનો પ્રારંભ કર્યો. અને ટૂંકાગાળામાં અમે સુંદર સાહિત્ય સેવા કરવા સમર્થ બન્યા છીએ.
૪
For Private and Personal Use Only