SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરંતુ સદાકાળને માટે પુગલમાં જે વર્ણાદિ હોય તે જ રહે, તેમાં ફેરફાર ન થાય એવુ નથી જુદા જુદા નિમિત્તો મળતાં પુદ્ગલમાં વર્ણાદિનો ફેરફાર થઈ શકે છે. દા.ત. જેમ કાચી કેરીમાં લીલોવર્ણ, ખાટો રસ, સુગંધ અને કઠણ સ્પર્શ હોય છે. તેને ઘાસમાં પકાવવાથી પીળોવર્ણ, મીઠો રસ, મૃદુસ્પર્શ, ઉત્પન્ન થાય છે. તેમ જીવે ગ્રહણ કરેલાં પુદ્ગલ સ્કંધો શરીર રૂપે પરિણામ પામે છે. ત્યારે તેમાં વર્ણાદિ ચતુષ્કનો ફેરફાર થઈને તે તે ચોક્કસ વર્ણવાળુ જીવનું શરીર બને છે. તેનું કારણ વર્ણાદિ નામકર્મ હોવાથી વર્ણાદિ નામકર્મને માનવું આવશ્યક છે. પ્રશ્ન-૯૪“દશવૈકાલિકાદિમાં સિંધાલુણાદિમાં રહેનાર લવણ રસને છોરસ માનેલો છે તો અહીં કેમ નહી?” જવાબઃ- સર્વ ખાદ્ય ચીજો લુણ (લવણ) નાંખવાથી સ્વાદિષ્ટ બને છે. માટે લોકો તેને મીઠું કે સબરસ” કહે છે. એટલે લવણ રસ એ સર્વરસનો અનુયાયી હોવાથી, તેને દશવૈકાલિકાદિ ગ્રન્થમાં અલગ છઠ્ઠારસ તરીકે માનેલો છે. પરંતુ લવણરસ એ મધુરાદિ રસજન્ય હોવાથી કર્મગ્રન્થકારે જુદો માન્યો નથી. પ્રશ્નઃ - ૯૫ “વિગ્રહગતિમાં વર્તતા જીવને કર્મબંધ ચાલુ હોય કે નહી?” જવાબ:- વિગ્રહગતિમાં વર્તતા જીવને પણ પ્રત્યેક સમયે આયુષ્ય સિવાય સાત કર્મનો બંધ ચાલુ જ હોય છે. પણ આયુષ્ય ન બંધાય કારણે કોઈપણ જીવ ત્રણ પર્યાપ્તિ પૂર્ણ કરે પછી જ આયુષ્યકર્મ બાંધી શકે છે. માટે વિગ્રહગતિમાં આયુષ્ય સિવાય સાત કર્મોનો બંધ ચાલુ જ હોય છે. પ્રશ્નઃ-૯૬ “શાસ્ત્રમાં સર્વલબ્ધિઓ ક્ષાયોપથમિકી કહી છે. તો શ્વાસોચ્છવાસ લબ્ધિને ઔદયિકી (કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલી) કેમ કહો છો?” જવાબઃ-શાસ્ત્રમાં સર્વ લબ્ધિઓ ક્ષાયોપથમિકી કહી છે છતાં કોઇ કોઇ લબ્ધિઓ ઔદયિકી પણ છે. કારણ કે કેટલીક લબ્ધિઓ એવી છે કે જેમાં કર્મનો ઉદય માનવો જ પડે. કર્મના ઉદય વિના લોકમાં રહેલા પુદ્ગલોને ગ્રહણ કરીને પરિણાવી શકાતા નથી. જેમ આહારક લબ્ધિધારી મુનિને આહારક શરીર બનાવવું હોય ત્યારે આહારશરીરકનામકર્મોદયથી જીવ સ્વાવગાઢ ક્ષેત્રમાંથી પુદ્ગલસ્કંધોને ગ્રહણ કરીને આહારકશરીર રૂપે પરિણાવે છે. તેમ શ્વાસોચ્છવાસલબ્ધિ જેને પ્રાપ્ત થાય છે તે શ્વાસોચ્છવાસનામકર્મના ઉદયથી શ્વાસોચ્છવાસને યોગ્ય પુગલો ગ્રહણ કરીને, શ્વાસોચ્છવાસ રૂપે પરિણાવે છે. માટે આહારકલબ્ધિની જેમ શ્વાસોચ્છવાસ ૨૦૦ For Private and Personal Use Only
SR No.020577
Book TitlePratham Karmagranth Karmavipak
Original Sutra AuthorN/A
AuthorHarshagunashreeji
PublisherOmkar Sahitya Nidhi
Publication Year1995
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy