________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નઃ- ૭૮“બંધમાં સમ્યકત્વ મોહનીય અને મિશ્રમોહનીય નથી તો ઉદયમાં ક્યાંથી આવી?”
વાસ્તવિક રીતે તો જે કર્મ બંધાય તેનો જ જીવાત્મા અનુભવ કરી શકે છે. પરંતુ દર્શનમોહનીયકર્મમાં મિથ્યાત્વમોહનીય એક જ બંધાય છે પણ ઉદયમાં સમ્યક્ત્વ મોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીય એમ-૩ હોય છે. કારણ કે ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત થતાં વિશુદ્ધ અધ્યવસાય દ્વારા મિથ્યાત્વમોહનીયના દલિકોમાં તરતમભાવે રસ ઘટી જવાથી મિથ્યાત્વમોહનીયનાં દલિકો ત્રણ વિભાગમાં વહેંચાઈ જાય છે. તેમાં શુદ્ધપુંજને સમ્યકત્વમોહનીય, અદ્ધશુદ્ધપુંજને મિશ્રમોહનીય, અને અશુદ્ધ પુજને મિથ્યાત્વમોહનીય કહેવાય છે. એટલે સમ્યક્ત્વમોહનીય અને મિશ્ર મોહનીય બંધમાં ન હોવા છતાં ઉપશમસમ્યકત્વની પ્રક્રિયાથી તે બન્ને કર્મ પ્રકૃતિ
અસ્તિત્વ (સત્તા) ધરાવતી હોવાથી ઉદયમાં હોય છે. પ્રશ્ન:- ૭૯ “ગતિનામકર્મ અને આયુષ્યકર્મમાં શું ફેર છે?” જવાબ- ગીતનામકમ
આયુષ્યકમે (૧) જીવને એક ભવમાંથી બીજા ભવમાં (૧) જીવને એક ભવમાં મર્યાદિત લઈ જાય છે.
કાળ સુધી સ્થિર કરી દે છે. (૨) ગતિનામકર્મનો બંધ પ્રતિસમયે (૨) આયુષ્યકર્મ ભવમાં એક જ વાર ચાલુ હોય છે.
બંધાય છે. (૩) દેવાદિ ૪ ગતિ પરાવર્તમાનપણે (૩) ચાર આયુષ્યમાંથી કોઇપણ એક (વારાફરતી) બંધાય છે.
આયુષ્ય એક ભવમાં એક જ વાર
બંધાય છે. (૪) ગતિનામકર્મ રસોદય અને (૪) આયુષ્યકર્મ રસોદયથી જ પ્રદેશોદયથી ભોગવાય છે.
ભોગવાય છે. (૫) ચારગતિ વારાફરતી બંધાય છે. (૫) જે આયુષ્ય બાંધ્યું હોય તે જ
પરંતુ જે આયુષ્યનો ઉદય હોય આયુષ્યનો ઉદય પરભવમાં તે આયુષ્ય પ્રમાણે એક જ ગતિનો થાય છે. વિપાકોદય હોય અને બાકીનો
પ્રદેશોદય હોય. (૬) ગતિનામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ (૬) આયુષ્યની સ્થિતિ
૨૦ કોડા કોડી સાગરોપમની છે. ૩૩ સાગરોપમની છે.
૨૬૪
For Private and Personal Use Only