________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહુ, અબહુ બહુવિધ, અબહુવિધ એ ૪ ભેદ ઘટી શકે અને ક્ષયોપશમની પટુતાને લીધે ક્ષિપ્રાદિ ૮ ભેદ ઘટી શકે. પ્રશ્ન - ૨૮ “ઇન્દ્રિય જન્ય મતિજ્ઞાન માત્ર રૂપી દ્રવ્યોને જ ગ્રહણ કરી શકે છે. તો મતિજ્ઞાનનો વિષય સર્વ (રૂપી-અરૂપી)- દ્રવ્યો કેવી રીતે હોઈ શકે?” જવાબ:- મતિજ્ઞાન જેમ ઈદ્રિયોથી ઉત્પન્ન થાય છે. તેમ મનદ્વારા પણ ઉત્પન્ન થાય છે. મન પૂર્વે અનુભવેલ વિષય તદુપરાંત શ્રુતવડે જાણેલ રૂપી-અરૂપી વિષયોનું પણ ચિંતન-મનન કરે છે. માટે કૃતનિશ્રિત મતિજ્ઞાન દ્વારા અરૂપી દ્રવ્યોનો પણ બોધ થાય છે. તેથી સર્વ દ્રવ્યો મતિજ્ઞાનનો વિષય બની શકે છે. પ્રશ્ન- ર૯ “ન્યાયશાસ્ત્રમાં તેમજ લોકવ્યવહારમાં મતિજ્ઞાનને પ્રત્યક્ષજ્ઞાન કહ્યું છે અને કર્મગ્રન્થાદિમાં મતિજ્ઞાનને પરોક્ષજ્ઞાન કહ્યું છે. તેનું શું કારણ?” જવાબઃ- પ્રતિ + અક્ષ^ = પ્રત્યક્ષમાં અક્ષ શબ્દનો અર્થ જેમ ઇંદ્રિય થાય છે. તેમ આત્મા પણ થાય છે. તેથી પ્રસ્તુતમાં આદ્યાત્મિકદૃષ્ટિએ “મા” શબ્દનો અર્થ આત્મા અને લૌકિકદષ્ટિએ અક્ષ શબ્દનો અર્થ ઇંદ્રિય કર્યો છે. એટલે આદ્યાત્મિકદૃષ્ટિએ ઇદ્રિય અને મનની સહાયતા વિના સાક્ષાત્ આત્મા દ્વારા જે જ્ઞાન થાય તે પ્રત્યક્ષ કહેવાય અને ઈદ્રિયોની સહાયતાથી જે જ્ઞાન થાય તે પરોક્ષ કહેવાય. તથા ન્યાયશાસ્ત્ર કે લૌકિકવ્યવહારમાં ઇન્દ્રિય અને મનની સહાયતાથી જે જ્ઞાન થાય તે પ્રત્યક્ષ કહેવાય અને લિંગ, હેતુ કે શબ્દાદિજન્ય જ્ઞાનને પરોક્ષ કહેવાય છે. એટલે ન્યાયશાસ્ત્રમાં મતિજ્ઞાનને પ્રત્યક્ષજ્ઞાન કહ્યું છે અને કર્મગ્રન્થાદિમાં મતિજ્ઞાનને પરોક્ષજ્ઞાન કહ્યું છે. પ્રશ્ન:- ૩૦ “મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનો તફાવત જણાવો.” જવાબ:- “મતિજ્ઞાન”
“શ્રુતજ્ઞાન” (૧) મતિજ્ઞાન કારણ છે
(૧) શ્રુતજ્ઞાન કાર્ય છે સૂતરના તાંતણા જેવું છે.
વણેલા કાપડ જેવું છે. (૨) વર્તમાનકાલગ્રાહી છે. (૨) ત્રિકાલગ્રાહી છે. (૩) મતિજ્ઞાન મુંગુ છે.
(૩) શ્રુતજ્ઞાન બોલકું છે. A અક્ષો... જ્ઞાને વાત્મનિરવ કરૂા
વર્વતૈ તુલ્ય હૃષી ( ) I૫૪૪ા (જુઓ અનેકાર્થ સંગ્રહ)
૨૪૭
For Private and Personal Use Only