________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચન - સચિત્ત પાણી અને પુષ્પાદિ દ્રવ્ય દ્વારા જિનપૂજા કરતા અકાયાદિની વિરાધના થતી હોવાથી પાપ લાગે. માટે ગૃહસ્થોએ જિનપૂજા ન કરવી જોઇએ. ઇત્યાદિ કહીને જિનપૂજા બંધ કરાવનાર તથા જીવહિંસા કરનાર, જાઠું બોલનાર, ચોરી કરનાર, મૈથુન સેવન કરનાર, પરિગ્રહ, રાત્રિભોજનાદિમાં તત્પર, સમ્યજ્ઞાન-દર્શન-ચરિત્ર રૂપ મોક્ષમાર્ગમાં ખોટા દોષો બતાવી ભવ્યજીવોને મોક્ષમાર્ગથી શ્રુત કરનાર, સાધુને ભાત, પાણી, ઉપાશ્રય, ઉપકરણ અને ઔષધ આપવાનો નિષેધ કરનાર, અન્ય જીવોને દાન, લાભ, ભોગ, ઉપભોગમાં અંતરાય કરનાર, દાન દીધા પછી પશ્ચાતાપ કરનાર, ધર્મક્રિયામાં પ્રમાદ, શિથિલતા, અવિધિસેવન કરનાર, વધ કે બંધનાદિથી બીજા જીવને નિશ્રેષ્ટ કરનાર, છેદનભેદનાદિથી બીજાની ઇન્દ્રિયોની શકિતનો નાશ કરનાર પ્રાણી અંતરાયકર્મને બાંધે છે.
આ પ્રમાણે “કર્મનું સ્વરૂપ તેના ભેદ-પ્રભેદ, તેનું ફળ તથા કર્મબંધના કારણોનું જેમાં વર્ણન કર્યું છે તે કર્મવિપાકનામાપ્રથમકર્મચી ચાંદ્રકુળમાં થયેલા તપાગચ્છ બિરૂદ ધરાવનારા શ્રીમદ્ જગશ્ચંદ્રસૂરીશ્વજી મહારાજાના શિષ્ય શ્રીમદ્ દેવેન્દ્રસૂરિ મહારાજાએ લખ્યો છે.
કર્મવિપાકનામાપ્રથમકર્મગ્રન્થ સમાપ્ત
૨૩૬
For Private and Personal Use Only