________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાથાર્થ - સમચતુરસ્ત્ર, ન્યગ્રોધ, સાદિ, કુન્જ, વામન અને હૂંડક એ છ સંસ્થાનો છે. કાળો, લીલો, રાતો, પીળો અને સફેદ એ પાંચ વર્ષો
- વિવેચન :- શરીરની આકૃતિને સંસ્થાન કહેવાય. ત્રિકાળવર્તી જીવોની આકૃતિનું સૂક્ષ્મદ્રષ્ટિએ વર્ગીકરણ કરતા અસંખ્યાત ભેદ થાય. પરંતુ શાસ્ત્રાકાર ભગવંતે તે સર્વેનું વર્ગીકરણ કરીને તે સર્વેનો ૬ વિભાગમાં સમાવેશ કરી આપ્યો છે. માટે સંસ્થાન નામકર્મ ૬ પ્રકારે કહ્યું છે. (૧) સમચતુરટ્યસંસ્થાન
સમ=સરખા”, “ચતુરૂ-ચાર”, “અન્ન ખૂણા કે બાજુ જે પુરુષ પદ્માસને બેઠેલો હોય તેના (૧) બે ઢીંચણ વચ્ચેનું અંતર. (૨) ડાબા ખભાથી જમણા ઢીંચણનું અંતર. (૩) જમણા ખભાથી ડાબા ઢીંચણનું અંતર (૪) હથેળીથી લલાટનું અંતર, એમ ચારે બાજુનું અંતર સરખું હોય એવી જે શરીરની આકૃતિ તે સમચતુરસસંસ્થાન કહેવાય. અથવા સામુદ્રિક શાસ્ત્રમાં કહેલા લક્ષણયુકત સઘળા અવયવોવાળી શરીરની આકૃતિને સમચતુરસસંસ્થાન કહેવાય. તેનું કારણ “સમચતુર-સંસ્થાનનામકર્મ” છે. (૨) ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન :
ન્યગ્રોધ = વડનું ઝાડ પરિમંડલ = આકાર. જેમ વડવૃક્ષનો ઉપરનો ભાગ શાખા, પ્રશાખા અને પાંદડા વગેરેથી સુંદર હોય છે. અને નીચેનો ભાગ બેડોળ હોય છે. તેમ શરીરમાં નાભિની ઉપરનો ભાગ સારા લક્ષણ યુક્ત હોય. અને નાભિની નીચનો ભાગ લક્ષણહીન હોય એવી શરીરની આકૃતિને ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન કહેવાય. તેનું કારણ “ન્યગ્રોધપરિમંડલસંસ્થાનનામકર્મ” છે. (૩) સાદિ સંસ્થાન :શરીરમાં નાભિની ઉપરનાં અવયવો લક્ષણહીન હોય અને નીચેનાં અવયવો લક્ષણયુકત હોય એવી શરીરની આકૃતિને સાદિસંસ્થાન કહેવાય. તેનું કારણ A“સાદિસંસ્થાનનામકર્મ” છે.
૧૮૮
For Private and Personal Use Only