SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 66 “ જે કર્મના ઉદયથી ઔદારિકાદિશરીરની રચનાનુસારે કરાયેલ પૂર્વ પૂર્વના પુદ્ગલપિંડની સાથે ઔદારિકશરીરની રચનાનુસારે થતાં નવાનવા પુદ્ગલપિંડનું જોડાણ થાય તે ઔદારિકબંધનનામકર્મ કહેવાય.” દેવો અને નારકો ઉત્પત્તિના પ્રથમ સમયથી માંડીને મરણસુધી, પ્રતિસમયે વૈક્રિયશરીરને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરીને, વૈક્રિયશરીર રૂપે પરિણમાવીને, વૈક્રિયશરીરની રચનાનુસારે પુદ્ગલપિંડ બનાવે છે. તે વખતે લાખથી સંધાતા બે લાકડાના ટુકડાની જેમ પ્રથમાદિ વૈક્રિય પુદ્ગલપિંડની સાથે દ્વિતીયાદિ વૈક્રિય પુદ્ગલપિંડનું જે જોડાણ થાય છે તે વૈક્રિયબંધન કહેવાય. તેનું કારણ વૈક્રિયબંધન નામકર્મ છે. “જે કર્મના ઉદયથી વૈક્રિયશરીરની રચનાનુસારે કરાયેલ પૂર્વ પૂર્વના પુદ્ગલપિંડની સાથે વૈ.શરીરની રચનાનુસારે થતાં નવા નવા પુદ્ગલપિંડનું જોડાણ થાય છે તે વૈક્રિયબંધનનામકર્મ કહેવાય.” આહારકલબ્ધિધારી ચૌદપૂર્વધર પ્રમતસંયત મુનિ મહારાજા જ્યારે આહારકશરીર બનાવે છે. ત્યારે આહારકશરીરની ઉત્પત્તિથી માંડીને સમાપ્તિસુધી પ્રતિસમયે આહારકશરીરને યૌગ્ય પુદ્ગલો ગ્રહણ કરીને, આહારકશરીરરૂપે પરિણમાવીને, આહા૨કશરીરની રચનાનુસારે પુદ્ગલપિંડ બનાવે છે તે વખતે લાખથી સંધાતા બે લાકડાના ટુકડાની જેમ પ્રથમાદિ આહારક પુદ્ગપિંડની સાથે દ્વિતીયાદિ આહારક પુદ્ગલ પિંડનું જે જોડાણ થાય છે તે આહારબંધન કહેવાય તેનું કારણ આહારકબંધન નામકર્મ છે. “જે કર્મના ઉદયથી આહારકશરીરની રચનાનુસારે કરાયેલ પૂર્વ પૂર્વના પુગલિપંડની સાથે આહારકશરીરની રચનાનુસારે થતાં. નવાનવા પુદ્ગલપિંડનું જોડાણ થાય છે તે આહારકબંધનનામકર્મ કહેવાય.” અનાદિકાળથી દરેક સંસારી જીવ પ્રતિસમયે તૈજસશરીરને યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરીને, તૈજસશરીરરૂપે પરિણમાવીને, જીવપ્રદેશોની રચનાનુસારે પુદ્ગલપિંડ બનાવે છે. તે વખતે લાખથી સંધાતા બે લાકડાના ટુકડાની જેમ પૂર્વ પૂર્વના તૈજસપુદ્ગલપિંડની સાથે નવા નવા તૈજસપુદ્ગલપિંડનું જે જોડાણ થાય છે તે તૈજસબંધન કહેવાય તેનું કારણ તૈજસબંધન નામકર્મ છે. જે કર્મના ઉદયથી પૂર્વ પૂર્વના તૈજસશરીરની સાથે નવા નવા તૈજસ પુદ્ગલપિંડનું જોડાણ થાય તે તૈજસબંધન નામકર્મ કહેવાય.” ૧૭૯ For Private and Personal Use Only
SR No.020577
Book TitlePratham Karmagranth Karmavipak
Original Sutra AuthorN/A
AuthorHarshagunashreeji
PublisherOmkar Sahitya Nidhi
Publication Year1995
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy