________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
૧૯ બીજનું ચૈત્યવંદન. ચોવીશમે જિનરાજજી, ચંપાપુરી આવે; ચૌદ સહસ અણગારનાં, સ્વામી તેહ કહાવે. અઢી કાશ ઉંચો સહિ, સમવસરણ વિરચાવે; ત્રિભુવન પતિ ગુરૂ તેહમાં, ઉપદેશ વરસાવે. જિતશત્રુ રાજા તિહાં, પ્રભુને વંદન આવે; તે પણ સમવસરણ માંહી, બેસી હરષિત થા. ભવિક જીવ તારણ ભણ, ગૌતમ પૂછે જિનને, બીજ તિથિ મહિમા કહો, સંશય હરણ પ્રભુ અમને. ૪ તવ પ્રભુ પરખદા આગલે, બીજનો મહિમા ભાખે, પંચ કલ્યાણક જિનતણા, તે સહુ સંઘની સાખે. ૫ બીજે અજિત જનમીઆ, બીજે સુમતિ ચ્યવન, બીજે વાસુપૂજ્યજી, લધું કેવળ નાણ દશમા શીતલનાથજી, બીજ શિવ પામ્યા; સાતમા ચકી અર જિન, જમ્યા ગુણ ધામ. એ પાંચ જિન સમરતાં એ, ભવિ પામે દોયે ધર્મ, સર્વવિરતિ ને દેશવિરતિ, ટાળે પાતિક મર્મ. વીર કહે દ્વિતીયા તિથિ, તે કારણે તમે પાળો; ચંદ્રકેતુ રાજા પરે, આતમ અજવાળો. તે સાંભળી બહુ આદરે, પ્રાણુ બીજ તિથિ સાર; તે આરાધતાં કેઇનાં, થયા આતમ ઉદ્ધાર. ચઉ વિહાર ઉપવાસ કરી, બીજ આરાધે વિવેક નયસાગર કહે વીર જિન, ઘ મુજને શિવ એક. ૧૧
For Private and Personal Use Only